સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા આયોજિત પ્રથમ વણકર સમાજ જીવનસાથી સંમેલન ગત રવિવારના રોજ ડૉ બાબા સાહેબ આંબેડકર હોલ મહેસાણા ખાતે યોજાયું હતું. આ પસંગ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ધનશ્યામ કે. સોલંકી હાજર રહ્યાં હતાં. સમારંભમાં નિવૃત્ત બેંક મેનેજર વિનુભાઈ પી. નંદા, નિવૃત્ત ઈન્કમટેક્સ ઓફિસર ખુશાલભાઈ એમ. મકવાણા, પ્રમુખ વિણાબેન એમ. દીપકર, સમાગમ સમાજનાં તંત્રી ભીખાભાઈ એ. મકવાણા, નિવૃત્ત ટી.ડી.ઓ. બળવંતલાલ ચૌહાણ, નિવૃત્ત પી.આઈ. રશ્મિકાન્ત પરમાર, નિવૃત્ત મેડીકલ ઓફિસર ડૉ અમૃતલાલ પરમાર, નિવૃત્ત કાયૅપાલક ઈજનેર નરેન્દ્રભાઇ એલ. વાણીયા, બિપીન કે. સોલંકી, હરેશકુમાર કે. રાઠોડ, શ્રી પરેશ બી. મકવાણા, નિવૃત આરોગ્ય અમૃતલાલ ઉમેતિયા, જિજ્ઞેશ બી. કાપડીયા વિગેરેએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
આગળની પોસ્ટ