Aapnu Gujarat
ગુજરાત

‘ઈન્કલાબ જિંદાબાદ’ ગ્રુપ દ્વારા મિઠાઈનું વિતરણ કરાયું

વર્તમાન સમયમાં વિવિધ સંસ્થાઓ, ગ્રુપો ગરીબ પરિવારની મદદે આવતા જોવા મળે છે ત્યારે ઈન્કલાબ જિંદાબાદ દિયોદર ગ્રુપ દ્વારા ગરીબ પરિવારોને મિઠાઈ આપીને દિવાળીના તહેવારોની ઉજવણી કરાઈ હતી. દિયોદર વિસ્તારમાં રહેતા વિચરતી જાતિના કુટુંબો તેમજ દિયોદર તાલુકાના વખા ગામે રહેતા ગરીબ પરિવારોને મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દિયોદર મામલતદાર પી. એસ.પંચાલ, રાજ્યકક્ષાના પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ ,ઈન્કલાબ જિંદાબાદ ગ્રુપના પ્રમુખ રમેશભાઈ ભાટી, જીગરભાઈ કોટક, નરેન્દ્રસિંહ વાઘેલા, જગતસિંહ વાઘેલા એનસયુઆઈ પ્રમુખ બનાસકાંઠા, એનએસયુઆઈ ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ વાઘેલા,, નારણભાઈ રાવળ, રઘુભાઈ નાઈ સહિતના લોકો આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા. જોકે મિઠાઈના વિતરણથી ગરીબ પરિવારના મુખમાં સ્મિત જોવા મળ્યું હતુ.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

aapnugujarat

આવતીકાલે બીજા ચરણણું મતદાન : અમદાવાદની ૧૬ સીટ સહિત શહેરી ગઢ પર નજર કેન્દ્રિત

aapnugujarat

ગુજરાતના ૨૨૦ તાલુકામાં હજુ અપેક્ષાથી ઓછો વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1