Aapnu Gujarat
ગુજરાત

આવતીકાલે બીજા ચરણણું મતદાન : અમદાવાદની ૧૬ સીટ સહિત શહેરી ગઢ પર નજર કેન્દ્રિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે મતદાન યોજનાર છે જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામની નજર અમદાવાદ શહેરની ૧૬ સીટો અને વડોદરા શહેરની પાંચ સીટો પર કેન્દ્રિત થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૨ની તુલનામાં આ વખતે ભાજપ સામે અનેક પડકારો છે. જેમા ંપાટીદાર આંદોલન અને જુદાજુદા સમુદાયની નારાજગીની બાબતનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો અમદાવાદ અને વદોડરા શહેરમાં અસર કરશે કે કેમ તે બાબત તમામ માટે ઉપયોગી રહેનાર છે. વર્ષ ૨૦૧૨ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપે અમદાવાદ શહેરની ૧૬ પૈકી ૧૪ પર જીત મેળવી હતી. જેમાં ઘાટલોડિયા, જમાલપુર-ખાડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુરનગર, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી, અસારવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા (એસસી) સીટ પર જીત મેળવી હતી. ગુજરાતના અન્ય શહેરોની જેમ મતદારો અન્ય શહેરોમાં પણ આગળ વધવા માંગે છે. ચાર સીટ જમાલપુર-ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા અને વેજલપુર સીટ મુસ્લિમ બહુમતીવાળી સીટ છે. વર્ષ ૨૦૦૨ બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિનગરમાંથી પ્રતિનિધીત્વ કરતા હતા. વર્ષ ૨૦૧૨માં મોદી એ ૮૬૦૦૦ મતથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મણિનગરમાંથી રાજીનામુ આપ્યુ હતુ. આવતીકાલે બીજા તબક્કામાં મતદાન યોજનાર છે. કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેર અને જિલ્લાની સીટોની વાત કરવામાં આવે તો આ તમામ સીટો ઉપર જોરદાર સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઘાટલોડિયામાં ૩૬૧ પોલિંગ સ્ટેશન છે અને અહીં મતદારોની સંખ્યા સૌથી વધુ ૩૫૨૩૧૬ નોંધાઈ ચુકી છે. આ ઉપરાંત વેજલપુરમાં પોલિંગ સ્ટેશનોની સંખ્યા ૩૨૪, વટવામાં ૩૨૭, એલિસબ્રિજમાં ૨૨૫, નારણપુરામાં ૨૩૩, નિકોલમાં ૨૩૪, નરોડામાં ૨૬૩, ઠક્કરબાપાનગરમાં ૨૨૮, બાપુનગરમાં ૧૯૫, અમરાઈવાડીમાં ૨૪૫ મતદાન મથકો છે. અમદાવાદમાં અભૂતપૂર્વ ઉત્સાહની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અનેક મોટા માથા પણ મેદાનમાં છે. વર્ષ ૨૦૧૨ની વાત કરવામાં આવે તો ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ૧૪ સીટ કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા બેઠક જીતી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ ઓછામાં ઓછી પાંચ સીટો અમદાવાદની એવી છે જેના પર ચિત્ર બદલાઈ શકે છે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, મણિનગર, સાબરમતી, ઠક્કરબાપાનગરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર પાટીદાર મતદારો વધારે છે.

Related posts

ગુજરાતને કેન્દ્ર સરકારે ત્વરિત ગ્રામીણ પાણી પુરવઠા યોજના હેઠળ કોઈ રકમ ના ફાળવી : બલવંતસિંહ રાજપુત

aapnugujarat

ગુજરાત ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો

aapnugujarat

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ગત વર્ષની મહત્તમ સપાટીથી પણ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1