ગુજરાતમાં ડેન્ગ્યુના આંતકના સમાચાર છાપામાં લોકો વાંચી સાવચેતી રાખતા હતા પણ બનાસકાંઠના પાલનપુર પછી કાંકરેજ તાલુકાના થરા, વડા, નાના જામપુર, રાજપુર, ઉણ, ભદ્રેવાડી, સહિત આજુબાજુના ગામડાઓમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના ૨૦ થી વધુ કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હજુ સર્વેની વાતો કરી વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે. જો ડેન્ગ્યુના કેસો સરકારી ડોકટરોના અભિપ્રાય મુજબ ના હોય તો ખાનગી હોસ્પિટલના ડોકટરોના અભિપ્રાય મુજબ ના હોય તો ખાનગી હોસ્પિટલના ડોકટરો અને લેબોરેટરીઓ અભણ ગ્રામ્ય પ્રજાને લુંટી રહ્યા છે. સ્વાસ્થ્ય શિક્ષણમાં બહુ સજાગ ગુજરાત સરકાર કાંકરેજ તાલુકાની પ્રજા ડેન્ગ્યુ વાયરલ ફીવરના ભરડામાં ફસાઈ છે.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)
આગળની પોસ્ટ