વેરાવળના દાનાભાઇ ચાવડા અને રામભાઇ કટારીયાએ હરિદ્વાર થી ૩૦ ઓગસ્ટ અને અમાસના દિવસે સોમનાથની પદયાત્રા કાવડ સાથે શરૂ કરેલ અને તેઓ તા.૬ સપ્ટેમ્બરના રોજ ૧ મહિનો અને ૭ દિવસના પ્રવાસના અંતે હરિદ્વાથી સોમનાથ સુધીની કઠોર યાત્રા પુર્ણ કરી સોમનાથ મહાદેવને કાવળનુ પવિત્ર જળ શિવાર્પણ કરેલ. આ પ્રસંગે આ શિવભક્તોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)