કાંકરેજ તાલુકામાં મોસમનો વરસાદ ઓછો વરસેલ હોવાથી ખેડૂતોના બૉરવેલમાં ભૂગર્ભ જળ એક હજારથી અગિયારસો ફૂટે હોવાથી ખેડૂતોની સત્તાધીશ સરકાર સામે લાગણી દુભાઈ રહી છે ત્યારે વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના પૂર્વ વિભાગના ખેડૂતો નવા બોર બનાવી શકે તેવી સ્થિતિ નથી જેથી ખેડૂતોની વેદના સાંભળી કિસાન એકતા સમિતિ કાંકરેજ દ્વારા નર્મદા સુજલામ-સુફલામ કેનાલનું પાણી તાત્કાલિક બનાસ નદીમાં છોડવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ મામલતદાર કચેરીએ જઈ કિસાન એકતા સમિતિ ગુજરાત પ્રદેશ આઈ. ટી. સેલ પ્રભારી મહેશ જોષી, કિસાન એકતા સમિતિ પ્રમુખ કાંકરેજ કાંકરેજ કિસાન એકતા સમિતિ ઉપપ્રમુખ અને અરવિંદજી ગોહિલ હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કાંકરેજ મામલતદારે ખાત્રી આપી કિસાન એકતા સમિતિ રજુઆત ઉપરના અધિકારી સુધી મોકલીશું.
(તસવીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ ,બનાસકાંઠા)