Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદનાં સપૂત શહીદ કેપ્ટન નિલેશ સોનીને યાદ કરી તેમનાં જન્મદિનની ઉજવણી કરાઈ

આજથી ૫૭ વર્ષ પહેલાં ૧૩-૦૭-૧૯૬૨નાં રોજ અમદાવાદમાં જન્મેલા શહીદ કેપ્ટન નિલેશ સોનીએ સિયાચીન ગ્લેશિયરની -૫૦ ડિગ્રી તાપમાનમાં પાકિસ્તાન સામે લડાયેલા મેઘદુત ઓપરેશનમાં ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭નાં રોજ ૨૫ વર્ષની ઉંમરે શહાદત વ્હોરી હતી, તેમનાં અંજલિ ચંદ્રનગર બીઆરટીએસ રોડ ઉપરના શહીદ સ્મારક ખાતે તેઓની ૫૭મી વર્ષગાંઠ નિમિત્તે લોકો દ્વારા હેપ્પી બર્થ ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતાં.
આ કાર્યક્રમમાં નાનાં બાળકોથી માંડીને વડીલોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં અને પાલડી વોર્ડના કોર્પોરેટર સુજય મહેતા અને વોર્ડનાં કાર્યકર્તા આશિષ શાહ સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

मैं फरार नहीं, भक्त योग्य समय का इंतजार करें : धनजी उर्फ ढबुडी

aapnugujarat

સાબરમતી જેલમાં ‘રેડિયો પ્રિઝન’ કાર્યક્રમ યોજાયો

editor

વાહનો ઉઠાવવા વધુ ૮૦ ટોઈંગવાન ખરીદાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1