વેરાવળ ની સંજરી કોલોની માં બિન ચોમાસે ચોમાસા જેવી સ્થિતિ સર્જાવા પામી છે જેના કારણે આ વિસ્તાર ના રહેવાસી ઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે એક જગ્યા એ વેરાવળ નું તંત્ર સફાઈ ના નામે મસ મોટા મોટા દાવા કરી રહયું છે તો બીજી બાજુ આ ચિત્ર તંત્ર ની પોલ ખોલી રહયું છે છતાં તંત્ર આ વિસ્તાર ના નગર સેવકો ને આ સફાઈ ની બાબતે કોઈ દરકાર ના હોય તેવું લાગી રહયું છે આ વિસ્તાર ના લોકો મા ડેંગ્યુ. મલેરિયા. જેવી ગંભીર બીમારી નો ભય ફેલાયો છે જેના પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અવર જવર કરવા માં ભારે હાલાકી ભોગવી રહયા છે પણ તંત્ર ને માત્ર ને તમામ પ્રકાર ના વેરા વસુલ વા મા જ રસ હોય તેવું લાગી રહયું આ વિસ્તારમાં લાઈટ ગટર રોડ જેવી તમામ પ્રકાર ની સુવિધાઓ નો ભારે અભાવ જોવા મળી રહયું છે પણ જવાબદાર લોકો કયારે જાગશે અને આ વિસ્તાર ને તમામ પ્રાથમીક સુવિધાઓ ક્યારે મળશે તે એક સવાલ બની ગયું છે જો આ વિસ્તાર માં વહેલી તકે સાફસફાઈ કરવામાં નહીં આવે તો ઘરે ઘરે માંદગી ખાટલા અને ડેન્ગ્યુ મેલેરીયા જેવી ગંભીર રોગચારો ફાટી નીકળવાનો ભય સેવાઇ રહયો છે
જો આ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા વહેલમાવહેલી તકે પ્રાથમિક સુવિધાઓ અને સાફસફાઈ જેવા પ્રસ્નો નું નિકાલ કરવામાં નહીં આવે તો આ વિસ્તાર ના રહેવાસી ઓ ભુક હડતાલ ઉપર ઉતરી ગાંધી ચીધ્યા માર્ગે લડત ચલાવસે તેવી ચીમકી સાથે તંત્ર પાસે માંગ કરેલ છે