Aapnu Gujarat
બ્લોગ

વિશ્વ યોગ દિવસ : યોગનો ઇતિહાસ

યોગ શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે એવું તમે સાંભળ્યું જ હશે પરંતુ યોગનો ઇતિહાસ શું છે અને તે ભારતથી બહાર કેવી રીતે પહોંચ્યો એ અંગે તમે જાણો છો?કાલે વિશ્વ યોગ દિવસ છે જેની ઉજવણી દુનિયાભરના લોકો કરવા જઈ રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ૨૧ જૂનને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.
સમય જતા યોગને બદલે ‘યોગા’ શબ્દ પ્રચલિત બન્યો છે અને તેના સ્વરૂપ પણ બદલાયાં છે. અત્યારે વિશ્વમાં બિયર યોગા, ન્યૂડ યોગા અને ડૉગ યોગા થતા જોવા મળી રહ્યા છે.યોગનો સાચો અર્થ સમજાવતા મુંબઈની લોનાવલા યોગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. મનમથ ઘારોટે જણાવે છે કે યોગનો મુખ્ય હેતુ ’વ્યક્તિત્વને સંપૂર્ણ એકાકાર’ કરવું એવો છે.તેઓ કહે છે, માનવ વ્યક્તિત્વ શારીરિક, માનસિક, ભાવનાશીલ, સામાજિક અને આધ્યાત્મિક આ પાંચ સ્વરૂપમાં વહેંચાયેલું છે. આ બધા તત્ત્વો એકસાથે અને સારી રીતે કામ કરે એ ખૂબ જરૂરી છે.યોગનું શારીરિક સ્વરૂપ શરીરને લચીલું બનાવે છે સાથે જ સ્નાયુ અને સાંધાઓને મજબૂત કરે છે. પરંતુ આસન દિમાગ માટે પણ ઉપયોગી છે.
જ્યારે તમે દિમાગને સ્થિર કરતા શીખી જાઓ, ત્યારે આંતરિક શાંતિનો અનુભવ કરી શકો છો.એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે ’અધો મુખ સવાસન’ અને ’સૂર્ય નમસ્કાર’નો પૌરાણિક ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.યુનિવર્સિટી ઑફ લંડન સ્કૂલ ઑફ ઑરિયન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં યોગનો ઇતિહાસ ભણાવતા પ્રોફેસર ડૉ. જિમ મેલિન્સન કહે છે કે હાલમાં સૂર્ય નમસ્કારને યોગ સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ક્યાંય નથી.વર્ષ ૧૯૩૦ બાદ લોકો તેનો અભ્યાસ કરતા થયા હતા.ડૉ. મેલિન્સનનું માનવું છે કે અષ્ટાંગા યોગ, આયંગર યોગ અને વિન્યાસા યોગ એ પણ આધુનિક સમયના યોગ છે.તેમણે ઉમેર્યું, આ બધા યોગના મૂળ સ્વરૂપનો ઉલ્લેખ પ્રાચીન શાસ્ત્રોમાં જોવા મળે છે, પરંતુ મોટાભાગે તે યોગનું અત્યાધુનિક સ્વરૂપ છે.શોધકર્તાઓનું માનવું છે કે અધો મુખ સવાસનનો ઉલ્લેખ ૧૮મી સદીના લખાણોમાં જોવા મળે છે. જે સામાન્ય રીતે હાથીની અંગસ્થિતિ જેવા આકાર સાથે મળી આવે છે.
આ પ્રકારના આસન ભારતીય પહેલવાનોની પરંપરાગત કસરતનો એક ભાગ હતો.જો ૨૦મી સદીની શરૂઆતના પુસ્તકોમાં નજર કરવામાં આવે તો આ યોગને મળતા આસનો જોવા મળશે.આધુનિક યોગના ઇતિહાસ પર સંશોધન કરતા ડૉ.માર્ક સિંગલટન કહે છે કે સ્વીડિશ અને ડેનિશ વ્યાયામમાં પણ ભારતીય યોગની ઝલક જોવા મળે છે.૧૯મી સદીના પ્રારંભે ફોટોગ્રાફીના માધ્યમથી યોગ અને આસનની તસવીરોનો ભારતથી પશ્ચિમ તરફ ફેલાવો થયો.ડૉ. સિંગલટન કહે છે, યુરોપના રાષ્ટ્રોમાં થતી બૉડી બિલ્ડિંગ અને વ્યાયામમાં ભારતીય આસનોનું મિશ્રણ થઈ ગયું છે. આપણે અત્યારે જે યોગ જોઈ રહ્યા છીએ તે આ મિશ્રણનું જ પરિણામ છે.ડૉ. મેલિન્સન કહે છે કે ભારતમાં યોગ આધ્યાત્મિક તપસ્વીઓ દ્વારા સ્થિરતા અને શાંતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતા હતા અને ૨૫૦૦ વર્ષ જૂના લખાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.પરંતુ આસનોની વાત કરવામાં આવે તો તે સમય સાથે વિકાસિત થયા. પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષો દરમિયાન યોગ ગ્લોબલાઇઝેશના કાળમાંથી પસાર થયા અને તેની મહત્તા વધવા લાગી.મોટાભાગે ભારતીયો ૨૦મી સદીના સમયગાળા દરમિયાન યોગ પ્રત્યે આકર્ષાયા હતા.ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે ૧૮૯૪માં શિકાગો ખાતે મળેલી ધર્મપરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા ત્યારે દુનિયા સમક્ષ યોગને રજૂ કર્યા હતા.વર્ષ ૧૮૯૬માં તેમનું પુસ્તક ’રાજ યોગ’ મેનહટ્ટનમાં લખાયું હતું. આ પુસ્તકે પશ્ચિમને યોગ શું છે એ સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ આવનારા દાયકાઓમાં ભારતીય યોગ ગુરુઓ યુરોપ અને અમેરિકાની મુસાફરી કરતા થયા અને યોગનો પ્રચાર થતો ગયો.યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.
’યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે – રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે – ઓશો. પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો. જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે. યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે. આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હ
વે આની બહાર કશુ જ નથી. શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે. આ આઠ અંગો છે – ૧)યમ ૨) નિયમ ૩) આસન ૪) પ્રાણાયમ ૫)પ્રત્યાહાર ૬) ધારણા ૭)ધ્યાન ૮)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન. તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે. જેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી. યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે – યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંતઃકરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે. દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે.
પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો. યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો. તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.

Related posts

બોલીવુડમાં હવે ખાન ત્રિપુટીની ચમક ઝંખવાઇ

aapnugujarat

भारत-विरोधी आतंक और जासूसी

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1