વારાણસીમાં પીએમ મોદી માટે ચૂંટણી પ્રચાર કરી રહેલ એનડીએના સહયોગી અને મોદી સરકારમાં મંત્રી રામદાસ આઠવલેએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી બસપા સુપ્રીમો માયાવતીની ઝાટકરી કરી છે. રામદાસ આઠવલેએ માયાવતીના પીએમ મોદીની પત્ની બાબતે આપેલા નિવેદનની નિંદા કરી અને કહ્યું કે, માયાવતીએ પીએમની પત્નીની ચિંતા કરવાની જગ્યાએ પહેલાં પોતે લગ્ન કરી લેવાં જોઇએ.
સાથે-સાથે રામદાસ આઠવલેએ મહાગઠબંધન અને અખિલેશ યાદવની પણ બરાબરની ઝાટાકણી કરી. તેમણે અખિલેશ યાદવના દેશને નવા વડાપ્રધાન મળી રહ્યા છે, એ નિવેદન પર કહ્યું કે, અખિલેશ યાદવને નહીં દેખાય, પરંતુ આખા દેશને અને દેશની જનતાને નરેંદ્ર મોદી જ ફરી એકવાર પીએમ રૂપે દેખાશે.
ઉલ્લેખનિય છે કે, બસમા પ્રમુખ માયાવતીએ થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેંદ્ર મોદીની પત્ની બાબતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. લોકસભા ચૂંટણી ૨૦૧૯ના અંતિમ તબક્કા માટે ૧૭ મેની સાંજે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. હવે બધાંની નજર ૧૯ મેના રોજ થનાર સાતમા ચરણના મતદાન પર છે. આ ચરણમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી કાશીના ઉમેદવાર છે, તો યૂપીની બધીજ હાઇપ્રોફાઇલ સીટો પર પણ બીજેપીની શાખ દાવ પર છે.