Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નીતીશ કુમારની મદદથી કેન્દ્રમાં બિન-ભાજપ સરકાર બનાવી શકાય છે : આઝાદ

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે દાવો કર્યો છે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જેવા નેતાની મદદથી દિલ્હીમાં બિન-ભાજપ સરકાર બનાવી શકાય છે. ચૂંટણીના પરિણામો બાદ એનડીએના અનેક સહયોગી ભાજપનો સાથ છોડી શકે છે.
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, એક વિચારધારા છે…બિન-એનડીએ અથવા તો બિન-ભાજપ વિચારધારા, કેમકે એનડીએમાં પણ કેટલાક ઘટકો એવા છે જે ભાજપ સાથે મળતા નથી. તેઓ સત્તાને કારણે કે પછી પોતાની મજબૂરીને કારણે ભાજપની સાથે છે. જેમાં અકાળી દળ અને નીતીશ કુમાર પણ હોઇ શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે મુખ્ય લડાઇ આ વખતે ભાજપ વિચારધારા અને બિન ભાજપ વિચારધારા વચ્ચે છે. નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન નહીં બની શકે કેમકે કેન્દ્રમાં બિન-એનડીએ અથવા તો બિન-ભાજપ સરકાર બનશે. આપણે ચૂંટણીના છેલ્લા તબક્કામાં છીએ. હું પ્રચાર માટે સમગ્ર દેશમાં ફર્યો છું પોતાના અનુભવથી કહીં શકું છું કે ના તો ભાજપની સરકાર બનશે, ના તો એનડીએ કેન્દ્રમાં પરત ફરશે.

Related posts

ઇન્ડિગો તેમજ એર ઇન્ડિયા સસ્તી એરલાઈનમાં સામેલ

aapnugujarat

ભારતને હવે બર્ડ ફલૂ મુકત રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું

aapnugujarat

अफगानिस्‍तान काबू करेगा प्याज के दाम, वाघा बॉर्डर पहुंचे हजारों ट्रक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1