બિહારનાં રાજકારણમાં આજકાલ ખુલ્લો પત્ર લખાવાની પરંપરા ચાલી રહી છે. લાલુ પ્રસાદ યાદવ બાદ હવે તેમના પુત્ર તેજસ્વીએ બિહારનાં સીએમ નિતીશ કુમારને પત્ર લખ્યો છે. તેણે નીતિશને ચાચા સંબોધીને પ્રહાર કર્યા છે. બિહાર વિધાનસભાના વિપક્ષનાં નેતા તેજસ્વી યાદવે તેના ફેસબુક એકાઉન્ટ પર ચીઠ્ઠી લખીને ટ્વીટર પર પણ શેર કરી હતી. તેજસ્વીએ નિતીશે આપેલાં નિવેદનનો ઉલ્લેખ કરતાં લખ્યુ છેકે, તો ચાચા તમે કહી રહ્યા હતાકે, મારા પિતા ગમે તેટલાં પ્રયાસો કરે પણ તેઓ જેલમાંથી બહાર નહી આવી શકે, તમે એમને જેલમાંથી બહાર નહી આવવા દો. તમારી આ સર્વોચ્ચ ન્યાયાલયથી પણ પોતાને સર્વોચ્ચ સમજીને નિર્ણય સંભળાવવા પાછળ કયું નવુ કાવતરૂ છે, એ તો મને ખબર નથી.
પરંતુ બિહારની વિડંબના શું છે એ મને ખબર છે. ચાચા તમારા શાસનની સૌથી મોટી વિડંબના છેકે, ગરીબો અને વંચિતો માટે અવાજ ઉઠાવવાવાળા આજે જેલમાં બેઠા છે. અને તમે મુઝ્ઝફરપુરમાં શેલ્ટરહોમમાં માસૂમ બાળકીઓ સાથે થયેલાં ગંદા કાંડમાં સામેલ તામાર દુલારા, પ્યારા અને ચાહીતા આરોપી બ્રિજેશ ઠાકુર સાથે કેક કાપી રહ્યા છો.તેજસ્વીએ નિતીન અને મોદી ઉપર પ્રહાર કરતાં લખ્યુ હતુકે, છલકપટથી મતદાતાનાં મત હડપવા વાળા, ચોર દરવાજાથી આજે બિહારની ખુરશી ઉપર બેઠા છે. અને મતદાતાને ખોટા સપના દેખાડીને જીવન બરબાદ કરનારા આજે દેશની ખુરશી ઉપર બેઠા છે. સમાજમાં અને દેશમાં નફરત અને અન્યાયનું ઝેર લગાવેલાં તીર ચલાવીને તમારા ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી રહ્યા છો. તમારા દ્વારા નફરત, અહંકાર, દ્વેષ, અપરાધ, અન્યાય, અત્યાચારના અંધારાને ભૂંસીને અમે પ્રેમ અને ભાઈચારાની રોશની ફેલાવીને અમારા ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી રહ્યા છીએ.