Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હાર ભાળી ગયેલા મોદી પ્રચારમાં તમામ મર્યાદાઓ ભૂલ્યા : અમરિંદર સિંહ

પૂર્વ વડાપ્રધાન દિગ્ગજ રાજીવ ગાંધી પર ટિપ્પણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સોમવારે જણાવ્યું હતું કે મોદીએ સત્તામાં રહેવાની તેમની લાલચ માટે ચૂંટણી પ્રચારની તમામ હદ પાર કરી છે. અમરિંદરે અહીં પત્રકારોને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં પોતાની હાર જોઇને સત્તા માટે ભૂખ્યા મોદીજીએ પોતાના ચૂંટણી પ્રચારમાં તમામ મર્યાદાઓ પાર કરી દીધી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે મોદીની ટિપ્પણીઓ તેમની ગરીબ માનસિકતા દર્શાવે છે. વડાપ્રધાન મોદીના આ નિવેદનની ચારેબાજુથી નિંદા થવી એ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ અથવા રાજકીય સંસ્થા જે ચૂંટણીને એક ગંભીર લોકશાહી પ્રક્રિયા સમજે છે તે આ આધારહિન પ્રોપગેન્ડાને ટેકો નહીં આપે. શાળામાં રાજીવ ગાંધીના વરિષ્ઠ રહેલા સિંહે ભૂતપૂર્વ વડાપ્રધાનને અત્યાર સુધીના સૌથી પ્રતિષ્ઠિત, પ્રમાણિક અને વિનમ્ર વ્યક્તિ જણાવ્યા છે.
અમરિંદરે કહ્યું કે રાજીવજીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ અને આપણા હાલના વડાપ્રધાન છેલ્લા પાંચ વર્ષથી સંભાળી રહેલી કુર્સીની મર્યાદાનું ધ્યાન ન રાખતા ભૂતપૂર્વ વડાપ્રધાનનું નામ તેમના દ્વારા બનાવાયેલા નિમ્ન સ્તરના ચૂંટણી પ્રચારમાં ઘસેટી રહ્યા છે.

Related posts

बंद हो जाएगा दिल्ली-NCR की नाइटलाइफ का अड्डा!

aapnugujarat

મારી વિરુદ્ધ સીબીઆઇના આરોપા પાયાવિહોણા : ચિદમ્બરમ

aapnugujarat

જિતિન પ્રસાદ ભાજપમાં જાેડાયા

editor

Leave a Comment

UA-96247877-1