ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસનાં તો ’ડીએનએ’માં જ જૂઠાણું છે. લખીમપુરમાં એક સભાને સંબોધતા કહ્યું, કોંગ્રેસ કહે છે કે અમે જનતાને ન્યાય અપાવશું પરંતુ તેમનાં તો ’ડીએનએ’માં જ જૂઠાણું રહેલું છે. હું પૂછું છું કે તેમણે હંમેશાથી અહીંનાં લોકો સાથે અન્યાય કરતા આવ્યા છે, તો હવે શું ન્યાય કરવાનાં.
યોગીએ કહ્યું કે, ભાજપા સરકારમાં દલાલી નથી થતી. યોજના માટેના પૈસા તેના લાભાર્થીઓ સુધી અચૂક પહોંચે છે.જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ આપણાં જવાનોનાં માથા કાપીને લઈ જતા હતા. જ્યારે આજે આપણા જવાનો શહીદ થાય છે ત્યારે પાકિસ્તાનમાં ઘુસીને તેનો બદલો લેવામાં આવે છે.તેમણે કહ્યું કે મોદી સરકારનાં પાંચ વર્ષ અને કોંગ્રેસ સરકારનાં ૫૫ વર્ષની સરખામણી કરો અને ઉત્તર પ્રદેશનાં ભાજપ સરકારનાં બે વર્ષ અને સપા-બીએસપીનાં ૧૭ વર્ષનાં કાર્યકાળની સરખામણી કરશો તો ભાજપનું પલ્લું જ ભારે રહેશે.
આગળની પોસ્ટ