Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીએ ૩૧ દિનમાં ૮૭ જનસભા કરી

લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ તાકાત લગાવી દીધી છે. મોદી દરરોજ દેશના કોઇને કોઇ ભાગમાં રેલી અને સભા કરી રહ્યા છે. માહોલ સર્જવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. મોદી છેલ્લા ૩૧ દિવસના ગાળામાં જ ૮૭ જનસભા કરી ચુક્યા છે. ત્રણ રોડ શો કરી ચુક્યા છે. હજુ આગામી તબક્કામાં પણ વધુ ઝંઝાવતી પ્રચાર જારી રહે તેવી શક્યતા છે. મેગા શોની વાત કરવામાં આવે તો એકલા ઉત્તરપ્રદેશમાં ૧૨ રેલી અને એક રોડ શો કરી ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાં ૮૦ બેઠકો પૈકી ૪૧ બેઠકોમાં મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. મહારાષ્ટ્રમાં પણ નવ રેલી કરી ચુક્યા છે. ઓરિસ્સામાં આઠ રેલી અને એક રોડ શો કરી ચુક્યા છે. બંગાળમાં સાત રેલી કરી ચુક્યા છે. કર્ણાટકમાં સાત રેલી યોજી ચુક્યા છે. ઘણી જગ્યાએ મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે જેમાં ગુજરાત, કર્ણાટક, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળનો સમાવેશ થાય છે. બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ઝંઝાવતી પ્રચારનો દોર જારી રહ્યો છે. હજુ સુધી ચાર તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. મોદીના પ્રચારના તરીકાને સારી રીતે સમજવામાં આવે તો કહી શકાય છે કે લોકોની વચ્ચે મોદી રાષ્ટ્રવાદના મુદ્દાને મુખ્યરીતે રજૂ કરી રહ્યા છે. સાથે સાથે ગઠબંધન સરકારને મહામિલાવટ સરકાર તરીકે રજૂ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી રાષ્ટ્રવાદના મુદ્દાને વારંવાર ઉઠાવી રહ્યા છે. સાથે સાથે ગઠબંધન સરકારના પ્રયાસો પણ સતત કહી રહ્યા છે કે મહામિલાવટની સરકાર દેશના વિકાસ આડે અડચણરૂપ છે. સત્તામાં વાપસી માટેનો આશાવાદ પણ મોદી દર્શાવી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૫૦ ટકા રેલી અને રોડ શો માત્ર પાંચ પ્રદેશમાં થઇ છે. હજુ સુધી ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ગુજરાતમાં વડાપ્રધાને પોતાની અડધાથી વધારે રેલી કરી છે. રોડ શો પણ કર્યા છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં સાત તબક્કામાં મતદાન થનાર છે. મોદી આ રાજ્યોમાં પોતાની હાજરીને જોરદાર રીતે રજૂ કરી રહ્યા છે. મોદીના ભાષણના આધાર તરીકે રાષ્ટ્રવાદ અને સર્જિકલ સ્ટ્રાઇક છે. સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રશ્નો ઉઠાવનારની મોદી જોરદાર ટીકા કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષી પક્ષની સાથે સાથે મોદી સપા-બપસા પર પણ પ્રહાર કરી રહ્યા છે. શ્રીલંકામાં ઇસ્ટર પર્વ પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાનો પણ વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છે. વડાપ્રધાન વારંવાર ભારપૂર્વક કહી રહ્યા છે કે દેશના ત્રાસવાદનો ખાત્મો કરવા માટે તેમના નેતૃત્વમાં મજબુત સરકાર સક્ષમ છે. આ ચૂંટણીમાં મોદીના પ્રચારમાં કેટલાક મુદ્દા તો દેખાઇ રહ્યા નથી.
મોદી તેમના ઘોષણાપત્રમાં કોંગ્રેસ પાર્ટીના મુદ્દા મુદ્દા રહેલા ન્યાયની વાત કરી રહ્યા નથી. જો કે મોદીએ ગયા મહિને મેરઠમાં એક રેલી વેળા કહ્યુ હતુ કે જ લોકો દશકો સુધી રાજ કરી ગયા બાદ પણ ગરીબી દુર કરી શક્યા નથી તે હવે ન્યાય અને ગરીબી દુર કરવાની વાત કરી રહ્યા છે. જે લોકો ગરીબોના બેંક ખાતા પણ ખોલી શક્યા નથી તે હવે બેંક ખાતામાં પૈસા નાંખવાની વાત કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બંગાળમાં સૌથી વધારે તાકાત લગાવી દેવામાં આવી છે. હજુ સુધી તેમની ૯૦ ટકા જાહેર હાજરીમાંથી ૨૦ ટકા આ બે રાજ્યોમાં રહી છે. ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ આ રાજ્યોમાં ચૂંટણી હજુ યોજાનાર છે.
ભાજપની રણનિતી આનાથી બિલકુલ સ્પષ્ટ દેખાય છે કે ઉત્તરપ્રદેશ અને બંગાળ પર ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોદી લહેર વચ્ચે ૮૦ સીટ પૈકી ૭૩ સીટ પર જીત મેળવી હતી. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને ૪૨ પૈકી માત્ર બે સીટ મળી હતી. આ વખતે તેને બંગાળમાં સૌથી મોટો ફાયદો થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જેથી પાર્ટી તમામ તાકાત બંગાળ અને યુપીમાં લગાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષી દળોના આક્ષેપોને જોરદાર જવાબ આપવા માટે જાણીતા રહ્યા છે.
વિરોધ પક્ષોના હથિયારોથી જ તેમને પછડાટ આપવા માટેની રણનીતિ ભાજપ દ્વારા ઘડી કાઢવામાં આવી છે.
ખાસ કરીને મોદી આમા ખુબ સજ્જ દેખાયા છે. બસપના વડા માયાવતી, સપાના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય હરીફ પક્ષોને પછડાટ આપવા માટે મોદી જાણિતા રહ્યા છે. પોતાના કેટલાક ભાષણોમાં મોદીએ કેટલીક વખત રાહુલ ગાંધીના લઘુમતિ વસ્તી ધરાવતા વાયનાડની સીટ પરથી લડવાના મુદ્દાનો પણ ઉલ્લેખ કરી ચુક્યા છે. વિપક્ષી દળોના હિન્દુ આતંકવાદના મુદાને પણ મોદી જોરદારરીતે ઉઠાવતા રહ્યા છે. વિપક્ષોના આક્ષેપોનો જવાબ આપવા માટે મોદી દ્વારા નવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીના ભાષણો ઉપર નજર રાખનાર જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં ઝંઝાવતી પ્રચારનો દોર જ્યારે વધારે તીવ્ર કરવામાં આવશે ત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચશે. આ વખતે ચૂંટણીમાં આતંકવાદ અને રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્યરીતે છવાયેલો રહ્યો છે અને બાકી તબક્કામાં પણ છવાશે.

Related posts

યુપીમાં જૈશ આતંકી મોહમ્મદ નદીમની ધરપકડ

aapnugujarat

સેબીની આજે બેઠક : શેલ કંપનીઓનો મુદ્દા પર ચર્ચા

aapnugujarat

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની ચાલતી બસમાં છેડતી, લોકો તમાશો જોતા રહ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1