Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી નદીમાં માછીમારી કરતા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું

સાબરમતી નદીમાં માછીમારી કરવા જતાં માછળીની જાળમાં ફસાઈ જતા યુવકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. કેમ્પ સદર બજારની પાછળના ભાગે સાંજના સમયે યુવક માછીમારી કરવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.
શાહીબાગ કેમ્પ સદર બજારના ભીલવાસમાં રહેતો નિરંજન ઉર્ફે ટાકી અતુલ દાતણિયા (ઉમર -૨૮) રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ માછીમારી કરવા માછળીનો જાળ લઈ નદીમાં ઉતર્યો હતો. માછળીના જાળમાં પગ ફસાઈ જતા તે નદીમાં ડૂબી ગયો હતો. અતુલ રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો નદી પર તપાસ કરવા ગયા ત્યારે ડૂબેલી હાલતમાં તેની લાશ મળી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

કોંગ્રેસમાં પક્ષ પછી પરિવાર પહેલા, ભાઈ-બહેનની જોડી કોંગ્રેસને ડુબાડશે : રુપાણી

aapnugujarat

વિરમગામ આરોગ્ય વિભાગની સમય સુચકતાથી ૩ ગ્રામ હિમોગ્લોબીનવાળા બાળકને નવજીવન મળ્યુ

aapnugujarat

સિડની પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં ઉત્તર ગુજરાતની પટેલ યુવતીનુ કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1