સાબરમતી નદીમાં માછીમારી કરવા જતાં માછળીની જાળમાં ફસાઈ જતા યુવકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. કેમ્પ સદર બજારની પાછળના ભાગે સાંજના સમયે યુવક માછીમારી કરવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.
શાહીબાગ કેમ્પ સદર બજારના ભીલવાસમાં રહેતો નિરંજન ઉર્ફે ટાકી અતુલ દાતણિયા (ઉમર -૨૮) રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ માછીમારી કરવા માછળીનો જાળ લઈ નદીમાં ઉતર્યો હતો. માછળીના જાળમાં પગ ફસાઈ જતા તે નદીમાં ડૂબી ગયો હતો. અતુલ રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો નદી પર તપાસ કરવા ગયા ત્યારે ડૂબેલી હાલતમાં તેની લાશ મળી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આગળની પોસ્ટ