Aapnu Gujarat
ગુજરાત

અંગત અદાવતમાં ત્રણ શખ્શોએ યુવક પર છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ ચંડોળા મહેબૂબના પાર્કિંગ પાસે અગાઉની અદાવતમાં ત્રણ યુવકોએ યુવક પર ડંડા વડે તેમજ છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં યુવકની તિથાબયત નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. શાહઆલમ વિસ્તારમાં આવેલ મુસામિયાંની ચાલીમાં રહેતા ૩૮ વર્ષીય મોહંમદ પઠાણે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં હત્યાની કોશિશ કરવા અંગે ફરિયાદ કરી છે.
ઘટનાની જાણ ઇસનપુર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે શાહઆલમ વિસ્તારમાં આવેલ નવાબનગરનાં છાપરાંમાં રહેતા બશીર અબ્દુલ કયુમ શેખ સાથે અગાઉ ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને ત્રણેયે મોહેમદ પર ડંડા તેમજ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ત્રણેયે વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમી નિમિત્તે શ્રી અદભુત શણગાર

editor

છારાનગર પોલીસ દમન : વકીલોએ બંધ પાળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1