Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેટા રાહુલ ગાંધી,હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથી : ઉદ્ધવ ઠાકરે

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વિવાદિત નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં સભાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે “બેટા રાહુલ ગાંધી, હિંદુસ્તાનમાં નામર્દોની માટે કોઈ જગ્યા નથી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર પર પણ આકરા પ્રહારો કર્યાં હતા.
બુલઢાણામાં ભાજપ-શિવસેના ગઠબંધનના ઉમેદવાર માટે વોટ માંગતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શરદ પવારને શરમ નથી આવતી. ઉદ્ધવ ઠાકરેએ લોકોને પુછ્યું કે શું દેશદ્રોહીઓને પોતાની નજીક રાખનારાઓને તમે ચૂંટશો ? આ સીટ પર વર્તમાન સાંસદ પ્રતાપરાવ ગણપતરાવ જાધવ માટે મત માંગવા ઉદ્ધવ ઠાકરેએ રેલી કરી હતી. આ દરમિયાન ભાજપના એક પણ દિગ્ગજ નેતા મંચ ન હતા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન છે. લોકસભા ચૂંટણીમાં શિવસેના ૨૩ અને ભાજપ ૨૫ બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ૫૦-૫૦ની ફોર્મૂલા છે.

Related posts

गृहमंत्री अमित शाह 26 और 27 जून को जम्मू-कश्मीर के दो दिवसीय दौरे पर

aapnugujarat

મંત્રી અજય મિશ્રાની બરતરફી સુધી હું ચૂપ નહીં રહું : Priyanka Gandhi Vadra

editor

મોદીએ વડનગરમાં જ્યાં ચા વેચી હતી તે ટી સ્ટોલ હવે ટુરિસ્ટ સ્પોટ બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1