કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા માટે અમેઠી અને વાયનાડ એમ બે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. એવા અહેવાલ મળ્યા છે કે જો રાહુલ ગાંધી બંને બેઠક પરથી ચૂંટણી જિત્યા તો બહેન પ્રિયંકા ગાંધી માટે અમેઠી બેઠક ખાલી કરશે.
કોંગ્રેસના નેતાઓને વિશ્વાસ છે કે , બંને બેઠક પરથી રાહુલ ગાંધી ચૂંટણી જીતી જશે.જોકે ગાંધી પરિવારમાં અગાઉ ઈન્દિરા ગાંધીએ ૧૯૭૮માં ચિકમંગલૂર બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.
ગાંધી પરિવારના બીજા સભ્યો પણ અગાઉ દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડી ચુક્યા છે.૧૯૮૦માં પણ ઈન્દિરા ગાંધીએ રાયબરેલી અને આંધપ્રદેશની મેડક બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.સોનિયા ગાંધીએ પણ રાયબરેલી ઉપરાંત કર્ણાટકની બેલ્લારી બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવ્યા બાદ બેલ્લારી બેઠક પરથી રાજીનામુ આપ્યુ હતુ.
રાહુલ અમેઠી બેઠક જીતીને જો પ્રિયંકા ગાંધી માટે આ બેઠક ખાલી કરે તેની પાછળ ગણતરી એવી છે કે પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડીને જીતે તો રાહુલ ગાંધી દક્ષિણ ભારત અને પ્રિયંકા યુપીમાં કોંગ્રેસને મજબૂત કરી શકે છે.
પાછલી પોસ્ટ