Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીર કોઈના પિતાની જાગીર નથી : અસદુદ્દીન ઓવૈસી

તેલંગાણામાં હૈદરાબાદ બેઠકના ઉમેદવાર અને એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મતદાન કર્યુ છે મતદાન કર્યા બાદ ઓવૈસીએ કહ્યું કે, આ વખતે દેશમાં કોઈ મોદી લહેર નથી. વર્ષ ૨૦૧૪માં દેશમાં મોદી લહેર હતી. દેશની જનતા ક્યારેય લાગણીશીલ મુદ્દે વોટ કરતી નથી. વધુમાં ઓવૈસીએ કહ્યું કે, તેલંગાણાની જનતા જરૂર એ પાર્ટીને વોટ આપશે કે જેઓ તેલંગાણા માટે કામ કરે છે. તો કાશ્મીરના મુદ્દે ઓવૈસીએ કહ્યું કે, જમ્મૂ-કશ્મીર કોઈના પિતાની જાગીર નથી.
ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું હતુ કે, ભારતમાં જો ભાજપ ચૂંટણી જીતે અને મોદી ફરીથી પ્રધાનમંત્રી બને તો કશ્મીર મુદ્દે સમાધાનની સંભાવના વધશે. ત્યારે આ મુદ્દે ઓવૈસીએ ટિપ્પણી કરી હતી.

Related posts

મુંબઈના ઘાટકોપરમાં એક ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

aapnugujarat

કુલભુષણ જાધવની માતા અને પત્ની સાથે યોગ્ય રીતે મુલાકાત ન કરાવી

aapnugujarat

એરસેલ-મેક્સિસ કેસને લઇ ચિદમ્બરમની ફરી એકવખત કલાકો સુધી પુછપરછ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1