અમદાવાદનાં ઘાટલોડિયામાં આવેલા પ્રભાત ચોક ખાતે પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ.ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહના માનવકદના કટઆઉટ સાથે રાખી યુવા મોરચાના કાર્યકર્તાઓએ અનોખી રીતે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ગાંધીનગર લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અમિત શાહના વિજયને જંગી બહુમતીથી સુનિશ્ચિત કરવા ‘‘નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપના દ્વારે’’ અનોખા આ કાર્યક્રમ યોજાયો હતો.
“મોદી હૈ તો મુમકિન હૈ”ના નારા વચ્ચે ગાંધીનગર લોકસભાના ભાજપાના લોકલાડીલા ઉમેદવાર શાહને અભૂતપૂર્વ જીત અપાવવાના હેતુથી ભાજપા યુવા મોરચાના કાર્યકર્તાઓએ અનોખી રીતે જનસંપર્ક કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માનવકદના કટઆઉટ સાથે હાથ ધરાયેલ આ લોકસંપર્ક યાત્રામાં સ્વયં મોદી અને શાહ લોકસંપર્ક કરી રહ્યા હોય તેવો માહોલ ઉભો થયો હતો.આ કાર્યક્રમ અન્વયે પદયાત્રા દ્વારા ભાજપા સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પત્રિકાઓ તથા મૌખિક જાણકારી જનજન સુધી પહોંચે તે માટે પ્રયાસ આદર્યો હતો અને ભાજપાના વિજય થકી દેશના વિકાસને વેગવંતો બનાવવા નાગરિકોને આહ્વાન કર્યું હતું.
૨૩ એપ્રિલે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને લક્ષ્યમાં રાખીને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહનો વિજય ઐતિહાસિક બનાવવા જંગી મતદાન કરવા અપીલ કરી હતી.આ ડોર ટુ ડોર કાર્યક્રમમાં ઘાટલોડિયાને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
આગળની પોસ્ટ