બનાસકાંઠાના ધાનેરામા ભાજપના ઉમેદવાર પરબત પટેલના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, દેશના લોકોનું મોદીને પીએમ બનાવવાનું મન બનાવ્યું છે. આ દેશમા જ્યારે મોદી સિવાય કોઈએ વડાપ્રધાનની ઉમેદવારી કોઈએ કરી જ નથી, ત્યારે ભાજપ સિવાય કોઈ મુરતિયો જ નથી.
કોંગ્રેસના રાજમા ૧૦૦ રૂપિયા લેવા ૨ જોડી ચપલ ઘસવા પડતા હતા. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આતંકવાદીઓની મદદ કરવા કોંગ્રેસ દ્વારા રાજદ્રોહની કલમ રદ કરવાની માગણી પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ દેશના જવાનોની મદદ કરતા કાયદાને કાઢી નાખવા માંગે છે તેવા પ્રહાર કાર્યા હતા. જોકે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને સારા ગણાવ્યા હતા. પરંતુ તેમને મત આપશો તો એ લફંગાઓને ટેકો આપશે તેવા આકરા પ્રહારો પણ કર્યા હતા.
તાજેતરમાં ધાનેરામાં ટેકાના ભાવે ઓનલાઇન નોંધણી માટે આવેલા ખેડૂતો પર પોલીસના લાઠીચાર્જ કરાયો હતો, અને જેના સવાલને લઇને રૂપાલાએ મારી પાસે વિગત નથી તેવું કહી વાત ઉડાવી હતી અને આ ખેડૂતો પર લાઠીચાર્જની તપાસ નથી થઈ. તે સવાલના જવાબ પર રૂપાલાએ મૌન સેવ્યું હતું.
આગળની પોસ્ટ