Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિન્દુ લોકો પર કલંક લગાવનાર મેદાન છોડી રહ્યા છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણીમાં પ્રચારને વધુ ભાર આપીને કોંગ્રેસ ઉપર હિન્દુ આતંકવાદને લઇને આકરા પ્રહાર કર્યા હતા. હિન્દુ આતંકવાદના મુદ્દા ઉપર રાહુલ ગાંધી ઉપર પણ પ્રહાર કર્યા હતા. મહાત્મા ગાંધીની કર્મભૂમિ કહેવાતા મહારાષ્ટ્રના વર્ધામાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસે દેશના કરોડો લોકોના સંબંધ આતંકવાદ સાથે જોડી દીધા હતા. હવે લોકો જાગી ગયા છે ત્યારે આવા લોકો ભાગી રહ્યા છે. તેમનો ઇશારો સીધીરીતે રાહુલ ગાંધીના અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડવા તરફ હતો. થોડાક દિવસ પહેલા જ સમજોતા બ્લાસ્ટ કેસમાં અસીમાનંદને સુપ્રીમ કોર્ટ દ્વારા મુક્ત કરી દેવામાં આવ્યા બાદ મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે. મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોંગ્રેસના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ બાબતને કોંગ્રેસ પાર્ટી પણ સમજી રહી છે. દેશે તેમને બોધપાઠ ભણાવવા અંગેનો નિર્ણય લઇ લીધો છે જેથી હિન્દુ વસ્તી વધારે છે. ત્યાં મેદાન છોડીને ભાગી રહ્યા છે. દેશે બોધપાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આવા લોકો હવે મેદાન છોડી રહ્યા છે. જે લોકોએ હિન્દુઓને આતંકવાદ કહ્યા હતા તેમની હાલત કફોડી બનેલી છે. હિન્દુઓની સાથે આતંકવાદ જોડી દેવામાં આવ્યું હતું જેથી જ્યાં હિન્દુ વસ્તી વધારે છે ત્યાં ચૂંટણી લડી શકવાની સ્થિતિમાં નથી. બીજી બાજુ જ્યાં હિન્દુઓની વસતી છે તેવા વિસ્તારમાં ભાગી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશના કરોડો લોકો ઉપર હિન્દુ આતંકવાદનું કલંક લગાવવાનુૂં કામ કોંગ્રેસે કર્યું હતું. હજારો વર્ષના ઇતિહાસમાં હિન્દુઓના આતંકવાદની કોઇ ઘટના બની નથી. અંગ્રેજ ઇતિહાસકારો પણ આવું કર્યું નથી. અમારી પાંચ હજાર જુની સભ્યતા પર કલંક કોંગ્રેસ પાર્ટીએ મુક્યું છે. આ પાર્ટીને લોકો માફ કરી શકે નહીં. મોદીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના જ એક કોંગ્રેસી નેતા હતા જે હિન્દુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા. સુશીલ કુમાર શિંદે દ્વારા હિન્દુ આતંકવાદનો ઉપયોગ કર્યો હતો. મોદીએ ઉમેર્યું હતું કે, અમારા વીર જવાનોએ જ્યારે એર સ્ટ્રાઇક કરી ત્યારે પણ આ લોકો પુરાવા માંગી રહ્યા હતા. એવી વાતો કરી રહ્યા હતા જેના કારણે પાકિસ્તાનમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી. ભારતના હિરો જોઇએ છે કે પછી પાકિસ્તાનના હિરો જોઇએ છે તે અંગે દેશના લોકોને નિર્ણય કરવો છે. આઝાદ મેદાનમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આવા લોકો શહીદ સ્મારકોને બૂટથી કચડી નાંખવાની મંજુરી આપી હતી. મોદીએ પોતાને શૌચાલયોના ચોકીદાર તરીકે ગણાવીને કહ્યું હતું કે, શૌચાલય અભિયાનથી મહિલાઓની અસ્મિતાનું રક્ષણ થઇ રહ્યું છે. કેટલાક લોકો માટે આ મજાકનો વિષય બન્યો છે પરંતુ તેમના માટે માતાઓ અને બહેનો માટે ઇજ્જત ઘર સમાન છે. એક ચોકીદાર તરીકે હોવાનો ગર્વ છે. મહાત્મા ગાંધી, વિનોભા ભાવે જેવા લોકોએ આપેલા સંદેશાઓની મજાક કરવામાં આવી રહી છે. શરદ પવારને લઇને મોદીએ કહ્યું હતું કે, દેશના સૌથી અનુભવી નેતાઓમાંથી એક શરદ પવાર છે. એમ કહેવામાં આવે છે કે, શરદ પવાર ક્યારે પણ વિચાર્યા વગર કોઇ કામ કરતા નથી. તેમને પીએમની રેસમાં ગણવામાં આવતા હતા. પવારે એક વખતે કહ્યું હતું કે, તેઓ ચૂંટણી લડશે પરંતુ એકાએક બોલી ગયા છે કે, તેઓ રાજ્યસભામાં ખુશ છે. શરદ પવાર પણ જાણે છે કે, પવન કઇ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. આ વખતે મોટા મોટા દિગ્ગજો મેદાન છોડીને ભાગી ગયા છે. એનસીપીમાં હાલના સમયાં પારિવારિક યુદ્ધની સ્થિતિ છે. એનસીપી ઉપર કબજો જમાવવાના પ્રયાસો પરિવારના લોકો કરી રહ્યા છે. શરદ પવારના હાથમાંથી તેમની પાર્ટી નિકળી રહી છે. તાજેતરમાં જ તેમના ભત્રીજા પાર્ટી ઉપર કબજો જમાવવાની રણનીતિ અપનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શરદ પવાર પવનની દિશા જોઇને મેદાન છોડી ચુક્યા છે.

Related posts

સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

બાબરી કેસ : એપ્રિલ સુધી કઇ રીતે થશે સુનાવણી

aapnugujarat

मालदीव में प्रधानमंत्री मोदी को मिलेगा सर्वोच्च नागरिक सम्मान ‘निशान इज्जुद्दीन’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1