Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામમાં શાહનું એલાનઃ મોદીજીની સરકાર બનાવો, તમામ ઘૂસણખોરને બહાર તગેડી મૂકીશું

બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે જો કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર બનશે તો આસામથી ઘૂસણખોરોનો સફાયો થઈ જશે. તેઓએ આ વાત આસામના કાલિબોરમાં કહી. તેઓએ એમ પણ કહ્યું કે આસામમાં બીજેપી અને તેના ઘટક દળોને ૧૪ સીટો પર જીત મળી રહી છે.નોંધનીય છે કે, આસામમાં ઘૂસણખોરોને બહાર કાઢવાનો મુદ્દો ઘણા દિવસોથી જોર પકડી રહ્યો છે.
રેલીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે, તમે ફરી એકવાર મોદીજીની સરકાર બનાવી દો, આસામથી એક-એક ઘૂસણખોરને બહાર કાઢવાનું કામ મોદી સરકાર કરશે. ઘૂસણખોરોની રોકવાનું કામ બીજેપીની સરકારે કર્યું છે.
આસામમાં છેલ્લા અનેક વર્ષોથી ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને સરકારના વલણથી સ્થાનિક લોકો ખુશ નથી. ગયા વર્ષે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો ડ્રાફ્ટ લાવવામાં આવ્યો. તે હેઠળ ૪૦ લાખ લોકોના નામ યાદીમાં નહોતા. તેમાંથી મોટાભાગના લોકો બાંગ્લાદેશી હોવાનું કહેવાય છે. જોકે, સરકારે લોકોને ફરી પોતાનું નામ નોંધાવવા માટે વધુ એક તકી આપી છે.
અમિત શાહે રેલીમાં એમ પણ કહ્યું કે પીએમ મોદીના રાજમાં જ આસામમાં વિકાસના કામ થયા છે. તેઓએ કહ્યું કે, આસામના વિકાસ માટે પાંચ વર્ષમાં ૨ લાખ ૯૪ હજાર કરોડ રૂપિયા આપવાનું કામ મોદીજીની સરકારે કર્યું છે.

Related posts

સહમતિ સાથે સંબંધો બન્યા હતા : અકબર

aapnugujarat

ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

aapnugujarat

PM Modi will be offering prayers at Guruvayur Temple in Kerala on June 8

aapnugujarat

Leave a Comment

UA-96247877-1