પીએમ મોદીએ મેરઠમાં યોજેલી રેલી બાદ તરત જ કોંગ્રેસે પીએમ મોદીના ભાષણ પર વળતો જવાબ આપ્યો છે.કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતું કે, પીએમ મોદી ડ્રામા કિંગ છે.યુપીના હજારો ખેડૂતોના ૨૦૦૦૦ કરોડ રપિયા બાકી છે.સરકારે સબસિડી વાળી ખાંડ ખરીદવાનુ બંધ કરીને ખેડૂતોને બરબાદ કર્યા છે.પીએમ મોદીના મહાગઠબંધનમાં જોડાયેલી પાર્ટીઓના પહેલા અક્ષરને ભેગા કરીને સરાબ નામ આપવાના મુદ્દા પર સૂરજેવાલીએ કહ્યું હતું કે, શું પીએમને આ પ્રકારનો શબ્દ બોલવાનુ શોભે છે?આ તો લોકશાહીની મજાક છે.મોદી પ્રધાનમંત્રી નહી પણ પ્રપંચમંત્રી વધારે છે.ડ્રામા કિંગ વધારે છે.સૂરજેવાલાએ કહ્યુ હતું કે, ગરીબોને દર વર્ષે ૭૨૦૦૦ રુપિયા આપવાની કોંગ્રેસની યોજનાની મજાક ઉડાવીને પીએમે ગરીબોનુ પણ અપમાન કર્યુ છે.