Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના ૨૩૬ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૨૩મી માર્ચ સુધીના ગાળામાં માત્ર ૨૩ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૨૩૬, કમળાના ૯૨, ટાઈફોઈડના ૧૫૩ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૪૪ કેસ સપાટી પર આવ્યા છે. માર્ચ ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૫૧૪૯ નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૨૩મી માર્ચ ૨૦૧૯માં હજુ સુધી ૭૦૪૭૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે માર્ચ ૨૦૧૮માં ૨૨૭૬ સિરમ સેમ્પલની સામે આ વર્ષે ૨૩મી માર્ચ સુધીમાં ૬૧૭ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે.ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ૨૩મી માર્ચ ૨૦૧૯ સુધીમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી અનેક નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેક્ટિરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. હજુ પણ સિઝનલ રોગને રોકવાના પ્રયાસો જારી છે જેના ભાગરુપે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે.

Related posts

કંથારિયા ગામના યુવક પર રીંછે હુમલો કર્યો

aapnugujarat

મોજીદડ ખાતે પ્રા.શાળાના આચાર્યની ઘોર બેદરકારી

editor

સફેદ રણની મજા માણવા ૭૦૦૦ લોકોએ કરાવ્યું ઓનલાઈન બુકિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1