Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકાની સફળતાથી પાર્ટીમાં તેમનો પ્રભાવ વધી શકે છે : શશી થરુર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના ભાગમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા વાડ્રાને રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવવાની માગણીઓ ઉઠતી હતી, જેમાં વિશેષજ્ઞો હંમેશા કહેતા રહ્યાં કે તેમના આવવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબીને નુકસાન પહોંચશે.
જેના પર હવે કોંગ્રેસના સાંસદ અને ગાંધી પરિવારના નજીક માનવામાં આવતાં શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે એવી વાત કરી કે જેનાથી પાર્ટીમાં રાહુલ ગાંધીના પ્રિયજનોને પરેશાની થઈ શકે છે. થરૂરે કહ્યું કે પ્રિયંકાની સફળતાથી પાર્ટીમાં તેમનો પ્રભાવ વધી શકે છે.
કોંગ્રેસ નેતાએ સાથે જ કહ્યું કે, વિનમ્રતાથી કહી શકાય છે કે તેઓ હાલ અડધા ઉત્તર પ્રદેશના મહાસચિવ છે અને તે તેમની કર્મભૂમિ થવા જઈ રહી છે. તેઓ તત્કાળ સંભાવનાઓને શોધવાનું કામ કરશે પરંતુ ભવિષ્યનું વિચારતા મને લાગે છે કે પાર્ટીમાં તેમનો પ્રભાવ વધશે અને લોકો વચ્ચે તેઓ પહેલેથી જ લોકપ્રિય થઈ ગયેલા છે.

Related posts

મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની ધરપકડ

aapnugujarat

Ex-MP and TDP leader Rayapati Sambasiva Rao can join BJP

aapnugujarat

ડી.કે. શિવકુમાર સામે મની લોન્ડરિંગ કેસ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1