Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મની લોન્ડરિંગ : નિરવ સામે નવી ચાર્જશીટ દાખલ

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આજે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની એક અદાલતમાં ફરાર હિરા કારોબારી નિરવ મોદી અને કેટલાક અન્ય લોકોની સામે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ ચાર્જશીટ મામલામાં નવા પુરાવા સપાટી ઉપર આવ્યા બાદ ઇડી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. ૧૩૦૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી હાલમાં લંડનમાં છે. મિડિયા રિપોર્ટના કહેવા મુજબ મોદી લંડનના પોશ વિસ્તારમાં ખુબ મોંઘા એપાર્ટમેન્ટમાં રહે છે. નિરવ મોદી બ્રિટનના હિરા કારોબાર પણ શરૂ કરી ચુક્યો છે. ભારતીય તપાસ સંસ્થાઓએ નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે ગયા વર્ષથી જ બ્રિટનમાં ખાસ અરજી દાખલ કરી હતી. પ્રત્યાર્પણની અરજી મળી હોવાની કબૂલાત બ્રિટન સરકાર પણ કરી ચુકી છે. ત્યાંની સરકારે શનિવારના દિવસે એમ પણ કહ્યું હતું કે, ભારતીય તપાસ સંસ્થાઓની માંગને કોર્ટને સોંપી દેવામાં આવી છે. શનિવારના દિવસે જ બ્રિટનના એક અખબારે નિરવ મોદી લંડનમાં હોવાના અહેવાલ જારી કર્યા હતા. ત્યારબાદથી તેના પર સકંજો મજબૂત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે હાલમાં જ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં રવિશ કુમારે કહ્યું હતું કે બેન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા વિજય માલ્યાને ભારત લાવવા માટે જે સ્તરના પ્રયાસ થઈ રહ્યા છે તે સ્તરના પ્રયાસ નિરવ મોદીના પ્રત્યાર્પણને લઈને પણ કરવામાં આવી રહ્યા છે. નિરવ મોદી અને વિજય માલ્યા ઉપર સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે ૧૩ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર અને ત્યારબાદ દેશમાંથી ફરાર થઇ ગયેલા નિરવ મોદી ક્યા છે તેને લઇને તપાસ ચાલી રહી છે ત્યારે નીરવ લંડનમાં હોવાના હેવાલ મળ્યા છે. લંડનમાં એક સ્થાનિક અખબારના પત્રકારે શોધી કાઢ્યા બાદ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. પત્રકાર દ્વારા નીરવ મોદીને કેટલાક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે છે કે ભારતીય અધિકારીઓની અપીલ પર નીરવ મોદીની ધરપકડ માટે ગયા વર્ષે જુલાઇ મહિનામાં ઇન્ટરપોલે તેમની સામે રેડ કોર્નર નોટીસ જારી કરી હતી.
જો કે હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી. તમામ લોકો જાણે છે કે નીરવ મોદી તથા તેમના સંબંધી મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથે ૧૪ કરોડની ઠગાઇ કરી ચુક્યા છે. કોંભાડનો પર્દાફાશ કરવામાં આવે તે પહેલા નીરવ વિદેશ ફરાર થઇ ગયા હતા.

Related posts

प्रद्युम्न मर्डर केस : सामाजिक रिपोर्ट में सामने आया स्टूडेंट काफी आक्रामक

aapnugujarat

કર્ણાટકમાં યેદિયુરપ્પાની કોંગ્રેસના કદ્દાવર નેતા ડીકે શિવકુમાર સાથે ગુપ્ત બેઠક

aapnugujarat

राजनीतिक लाभ के लिए खुद को ओबीसी बता रहे हैं मोदी : मायावती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1