Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ અભિમાની પાર્ટી,દિલ્હીમાં જમાનત જપ્ત થશે : કેજરીવાલ

આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધનની સંભાવનાઓને ફગાવતા કોંગ્રેસે દિલ્હીમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના આ નિર્ણયને લઇને આપ સંયોજક કેજરીવાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
ગુસ્સે ભરાયેલા કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ અભિમાની પાર્ટી થઇ ગઇ છે, તેમના ઉમેદવારો દિલ્હીમાં પોતાની ડિપૉઝીટ પણ ગુમાવશે. મુસ્તફાબાદની એક રેલીમાં કેજરીવાલે દાવો કર્યો હતો કે, આપે કોંગ્રેસને ગઠબંધન કરવા માટે સમજવાવી હતી, પણ તે થઇ શક્યુ નહીં.
અલગ અલગ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો આપ અને કોંગ્રેસ અલગ અલગ રીતે લોકસભા ચૂંટણી લડે છે તો દિલ્હીની બધી ૭ બેઠકો પર બીજેપી બાજી મારી જશે.

Related posts

समय आ गया है कि इतिहास सच्चा लिखा जाए : गृह मंत्री

aapnugujarat

ટ્રાફિક પોલીસને ફોનમાં ડિજિલૉકર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ કે આરસી બતાવી શકાશે

aapnugujarat

અશ્લીલતા અને ખુબસુરતી જોનારની આંખોમાં હોય છે : કેરળ હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1