Aapnu Gujarat
ગુજરાત

કડક કાર્યવાહીના બગણાં ફૂંકતું તંત્ર : એએમટીએસ બસથી રોજ એક અકસ્માત

તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરાઇ છે. શાસકોએ આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના રૂ.૪૮૮.૦૮ કરોડના બજેટની રજુઆત કરતી વખતે આવી સૂફિયાણી વાતો કરી હતી. જો કે ખરી વાસ્તવિકતા બિહામણી છે. આજે પણ એએમટીએસ બસનો રોજ એક અકસ્માત થઇ રહ્યો છે.
એએમટીએસ બસ દ્વારા જ્યારે પણ શહેરમાં મોટા પ્રાણઘાતક અકસ્માત સર્જાય છે તે વખતે તત્કાળ તંત્ર જખ્મ પર મલમપટ્ટો લગાડવાની કોશિશ કરીને કડક કાર્યવાહીના બગણાં ફૂંકે છે. બેફામ દોડતી બસની ગતિ પર અંકુશ મૂકવા સ્ટિમ્યુલેટર મૂકવા, ચાર રસ્તા કે સર્કલ પર ફલાઇંગ સ્કવોડ દ્વારા બસની સ્પીડની ચકાસણી કરવી, ડેપોમાંથી બસને રોડ પર મૂકતાં પહેલાં ડ્રાઇવરની વય-ડ્રાઇવિંગ લાઇસન્સ ચકાસવું બ્રેથ એનેલાઇઝરથી ડ્રાઇવરની નશાયુક્ત હાલતની તપાસ, સર્કલના સીસીટીવી કેમેરાથી પણ બસની ગતિ પર નિયંત્રણ મુકાશે. તેમજ ડ્રાઇવરોના ટ્રેનિંગ કલાસ જેવી બાબતોના સત્તાધીશો ચીપિયા પછાડીને બે-ચાર દિવસમાં સમગ્ર ઘટનાનો વીંટો વાળે છે. પરિણામે અનેક ડ્રાઇવરો આજે પણ નિરંકુશ બનીને બસ હંકારી રહ્યા છે. તેમાં પણ ખાનગી ઓપરેટરના ડ્રાઇવરોનું પ્રમાણ વધારે છે.
ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં સંસ્થાની બસ દ્વારા ૭૦ અને ખાનગી ઓપરેટરોની બસ દ્વારા ૩૧૧ મળીને કુલ ૩૮૧ અકસ્માત સર્જાયા હતા. આમ બીજા અર્થમાં રોજના એક અકસ્માત થયા હતા. જો કે વર્ષ ર૦૧૬-૧૭માં સંસ્થાની બસના ૧ર૦ અને ખાનગી ઓપરેટરની બસના ૪૦પ મળીને નોંધાયેલા કુલ પરપ અકસ્માતની તુલનામાં અકસ્માત ઘટ્યા છે પરંતુ હજુ સુધી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. બીજી તરફ વર્ષ ર૦૧૭-૧૮માં કુલ દશ નાગરિકના એએમટીએસના તોતિંગ પૈડાંની નીચે કચડાઇને મોત થયાં હતાં, જે વર્ષ ર૦૧૬-૧૭માં અગિયાર નાગરિકનાં મોત જેટલાં જ હોઇ આ બાબતે એએમટીએસના સત્તાવાળાઓએ ખાસ હરખાવા જેવું નથી.

Related posts

અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળશે

editor

પ્લાસ્ટિક ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સરકાર કટિબદ્ધ : રૂપાણી

aapnugujarat

અબડાસા-લખપતમાં ખનિજ ચોરો સામે તવાઇ આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1