Aapnu Gujarat
ગુજરાત

જીતુ વાઘાણીએ કહ્યું- ‘રાહુલ ગાંધી કોંગ્રેસ માટે અપશુકનિયાળ’

આજે વલસાડના ધરમપુરમાં બીજેપીનું કલસ્ટર સંમેલન યોજાયું હતું જ્યાં જીતુ વાઘાણીએ હાજરી આપી હતી. આ સંમેલનમાં બીજેપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.
ક્લસ્ટર સંમેલનમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે,’કોંગ્રેસવાળા લગ્ને લગ્ને કુંવારા રહી જાય છે. કોંગ્રેસના લોકો ૬૭ વર્ષના ઘરડા થશે તો પણ સત્તાનું સુખ જોઇ શક્શે નહી.
કોંગ્રેસના નેતાઓમાં તાલમેલનો તફાવત જોવા મળે છે. કેટલાક નેતાઓ ગુજરાતમાં લોકસભાની ૧૨ તો એક નેતા ૨૬ બેઠક જીતવાનો દાવો કરે છે. મીડિયામાં શું નિવેદન આપવું તે કોંગ્રેસવાળા પહેલા નક્કી કરે, તેમના બધા નિવેદનોમાં તફાવત નજર આવે છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ૧૪ લાખ કરોડ રૂપિયાનો ભષ્ટ્રટાચાર કર્યો છે.
જીતુ વાઘાણીએ પીએમ મોદીનાં વખાણ કરતા કહ્યું કે, ગુજરાતને મોદીએ મોડેલ રાજ્ય દેશને આપ્યું છે અને પીએમ બન્યા બાદ મોડેલ દેશ દુનિયાને આપ્યો છે. આ ક્લસ્ટર સંમેલનમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વીના તેમના પર આકરા પ્રહારો કર્યા હતાં.
જીતુ વાઘાણીએ આડકતરી રીતે એવું પણ કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ માટે અપશુકનિયાળ છે. તેઓ જ્યારે પણ કોંગ્રેસના પ્રચાર માટે ગુજરાતમાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરતા હોય તેવું લાગે છે. તેમના કારણે કોંગ્રેસને નુક્સાન થાય છે. કાલે આવશે ફરી મોદીજીને મતો અપાવશે.

Related posts

दक्षिण पश्चिम मॉनसुन की आगेकुच आज भी जारी

aapnugujarat

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

aapnugujarat

વિસ્મય શાહ બીએમડબલ્યુ હિટ એન્ડ રનઃ મૃતકનાં પિતાનું વળતર સાથે સમાધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1