પ્રકાશ ઝા ફરી એકવાર નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. પ્રકાશ ઝાની ફિલ્મમાં એક સાથે નજરે પડ્યા બાદ અજય દેવગણ અને રણબીર કપૂર ફરીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે આ બંને લવ રંજનની ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અગાઉ અટવાઈ પડ્યો હતો પરંતુ વાતચીત દરમિયાન અજય દેવગણે કહ્યું છે કે, આ ફિલ્મ અટવાઈ નથી પરંતુ આને રોકવામાં આવી હતી. આગામી વર્ષની શરૂઆતથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરાશે. ગયા વર્ષે અજય દેવગણે જશવંતસિંહ ગિલ ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ કેપ્સુલ ગિલ રાખવામાં આવ્યું હતું. હવે એવું જાણવા મળ્યું છે કે, રાજનીતિમાં સાથે કામ કર્યા બાદ રણબીર કપૂર અને અજય દેવગણ ફરી સાથે કામ કરવા જઈ રહ્યા છે. અજય દેવગણે હાલમાં જ કહ્યું હતું કે, તે નવી ફિલ્મને લઇને આશાવાદી છે. હાલમાં અજય દેવગણ પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલને લઇને વ્યસ્ત છે. આ ઉપરાંત પોતાની કેરિયરની ૧૦૦મી ફિલ્મ તાનાજીમાં પણ તે કામ કરી રહ્યો છે. ફિલ્મમાં તે સુબેદાર પાનાજીની ભૂમિકામાં છે. હાલમાં શૂટિંગ કરવામાં આવ્યા બાદ તે નવી ફિલ્મમાં કામ કરવાના ઇરાદાથી આગળ વધનાર છે. બાહુબલીના ડિરેક્ટર રામોજી રાવની નવી ફિલ્મ ત્રણ આરમાં તે કેમિયોની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ તેજાની ભૂમિકા છે. અજય દેવગણ લવ રંજનની અન્ય એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે જેનું શૂટિંગ હાલમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અજય દેવગણ પાસે અનેક ફિલ્મો હાથમાં છે જે પૈકી પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મોને પણ સમાવેશ થાય છે. રણબીર અને અજયની જોડી રાજનીતિમાં સફળ રહી હતી.