Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળમાં પૂરમાં લોકોને બચાવનાર માછીમારોને શાંતિ નોબલ આપો : થરુર

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કેરળમાં ગયા વર્ષે આવેલા ભીષણ પુર દરમિયાન લોકોના જીવ બચાવનાર રાજ્યના માછીમારોને શાંતિનું નોબેલ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે. આ વિશે તેમણે નોર્વેની નોબલ સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો છે.
થરુરે પત્રમાં લખ્યું કે, જે સમયે તે ત્રાસદી તેની ચરમસીમાએ હતી તે સમયે રાજ્યના અનેક માછીમારોના સંગઠન સાથે જોડાયેલા લોકોએ તેમના જીવની ચિંતા કર્યા વગર રાહત અને બચાવ કાર્યોમાં ભાગ લીધો હતો અને સ્થાનિક લોકોને બચાવ્યા હતા.
પત્રમાં તેમણે આગળ લખ્યું છે કે, આ માછીમારોએ તેમની હોડી પૂરગ્રસ્ત વિસ્તારોમાં લઈ જઈને તેમના અનુભવ અને સ્થાનિક સ્થિતિના આધારે ત્યાં રહેતા લોકોને બચાવ્યા અને તેમની મહેનતથી હજારો લોકોના જીવ બચ્યા હતા.
દેશના વિવિધ વિભાગમાં માછીમારો સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે અને કેરળના માછીમારોની પણ તે જ સ્થિતિ છે. થરુરે કહ્યું કે, કેરળના માછીમારોના સાહસને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તેમની મદદથી જ હજારો લોકોના જીવ બચી શક્યા છે.

Related posts

દક્ષિણી કાશ્મીરમાં ક્રિકેટ પહેલા વાગ્યું પીઓકેનું રાષ્ટ્રગીત, આતંકીઓના નામ પર વહેંચાયા એવોર્ડ

aapnugujarat

राहुल गांधी की ताजपोशी की तैयारियां तेज हुई : शहजाद पूनावाला ने सवाल उठाए

aapnugujarat

DK Shivakumar hospitalised

aapnugujarat

Leave a Comment

UA-96247877-1