Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડૉક્ટરે નોકરની હત્યા કરી ૫૦૦ ટુકડા કર્યા બાદ એસિડમાં નાંખી દીધા..!!

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક ઓર્થોપેડિક ડૉકટરે પોતાના જ નોકરની હત્યા કરી દીધી. આરોપ છે કે ડૉકટરના નોકરની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા તેની તેમને ખબર પડવા પર નોકરે વિરોધ કર્યો હતો. ડૉકટરે નોકરના અસંખ્ય ટુકડા કર્યા અને હત્યાના પુરાવા મિટાવા માટે આ ટુકડાને એસિડ નાંખી ઓગાળી રહ્યા હતા. વારંવાર ઘરની બાલકનીમાંથી આવી રહેલ લોહી અને પરસેવાથી લથપથ ડૉકટરને જોઇ પાડોશીઓએ પોલીસને માહિતી આપી ત્યારબાદ તેની ધરપકડ કરી લેવાઇ.
પોલીસે કહ્યુંકે ડૉ.સુનીલ મંત્રી ઇટારસીના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં તૈનાત છે. તેમના ઘરમાં વીરેન્દ્ર પચૌરી નોકરી કરતો હતો. તે ઘરમાં તેમની પત્ની સાથે રહેતો હતો. ડૉકટરની પત્ની સાથે તેના આડા સંબંધ હતા. કહેવાય છે કે નોકરને જ્યારે બંનેના અનૈતિક સંબંધની ખબર પડી તો તેમનો ડૉકટર સાથે ઝઘડો પણ થયો. ત્યારબાદ ડૉકટરે નોકરની હત્યા કરવાનો નિર્ણય લીધો.
ડૉ.સુનીલ મંત્રીએ વીરેન્દ્રની હત્યા કરતાં પહેલાં તમામ તૈયારીઓ કરી લીધી. તેઓ સો લીટર એસિડ બજારમાં ખરીદીને લાવ્યા. આ સિવાય બાથરૂમમાં કેટલાંય મોટા વાસણ મૂકયા. કેટલીય આરીઓ ખરીદી, એટલું જ નહીં નોકરને બેભાન કરવા માટે તેને ઇંજેકશન પણ તૈયાર કર્યું હતું.
પોલીસની પૂછપરચ્છમાં ડૉકટરે કહ્યું કે વીરેન્દ્રને ઉંઘમાં જ ઇંજેકશન આપી બેભાન કરી ખેંચીને બાથરૂમમાં લઇ ગયો અને ત્યાં આરીથી ગળું કાપી નાંખ્યું. થોડાંક સમય સુધી વીરેન્દ્રને એમ જ છોડી દીધો. પછી હત્યાના પુરાવા મિટાવામાં લાગી ગયા. ડૉકટરને વીરેન્દ્રના શરીરના નાના-નાના ટુકડા કરવામાં ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો. ડૉકટરનો પ્લાન હતો કે ટુકડા કર્યા બાદ લિક્વિડ ફલશ કરી દેશે અને કોઇને આ ઘટનાની માહિતી પણ નહીં મળે.

Related posts

R S Chauhan took oath as Chief Justice of Telangana HC

aapnugujarat

देश में कोरोना का कहर जारी : 24 घंटे में मिले 47,905 नए संक्रमित

editor

ટ્રેન-૧૮માં ભાડુ શતાબ્દી કરતા ૫૦ ટકા વધારે હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1