Aapnu Gujarat
રમતગમત

શોએબ અખ્તરે પાક. કેપ્ટન સરફરાઝની વંશીય ટિપ્પણી બદલ ઝાટકણી કાઢી

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સરફરાઝ અહમદની વંશીય કોમેન્ટની નિંદા કરી છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મંગળવારે ડરબનમાં રમાયેલી બીજી વનડે મેચમાં એન્ડીલે ફેહલુક્વાયો પર વંશીય કોમેન્ટ કરી હતી. શોએબ અખ્તરે કહ્યું કે સરફરાઝનું આ વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી.
રાવલપિંડી એક્સપ્રેસે જણાવ્યું કે મેં જે સાંભળ્યું છે તેનો સ્વીકાર કરી શકાય તેમ નથી. આ મારા માટે ખૂબ જ દુઃખદાયક સમાચાર છે. કેપ્ટન આ કોમેન્ટ કરે છે તે વંશીય છે. હું તેની આકરી નિંદા કરું છું. આ દિગ્ગજ પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે હોઇ શકે છે કે તેમણે આ ક્ષણભરના ગુસ્સામાં કહી દીધું હોય. કદાચ તેમનો અર્થ તે ન હોય પરંતુ જાહેરમાં તેના માટે માફી માંગવી જોઈએ.
અખ્તરે કહ્યું કે કોઇ પણ ખેલાડીએ ક્યારે પણ કોઇ પણ સંદર્ભમાં કોઈના રંગ પર કોઈ કોમેન્ટ ન કરવી જોઇએ. જોકે સરફરાઝે પછી તેના ટિ્‌વટર એકાઉન્ટ પર આ ઘટના માટે માફી માંગી છે.સરફરાઝે એક પછી એક એક ૩ ટ્‌વીટ કરીને એન્ડિલ ફેહલુક્વાયોથી માફી માંગી. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છતા ન હતા કે તેમના ફ્રસ્ટેશનવાળા શબ્દો કોઈ સાંભળે અથવા સમજે. તેમનો ઇરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. ત્યારબાદ ટિ્‌વટર પર વિડીયો પોસ્ટ કરી શોએબ અખ્તરે પાકિસ્તાની કેપ્ટનને આડે લીધો હતો. તેણે ટ્‌વીટ કરી જણાવ્યું કે હું ખરેખર આશા રાખું છું કે તાજેતરની ઘટના પછી અમારા કેપ્ટનને ન્યૂનતમ દંડ ફટકારવામાં આવે કારણ કે આગામી વર્લ્ડ કપમાં અમને એક કેપ્ટન તરીકે જરૂર છે.

Related posts

ગેઇલની સિદ્ધિ : વનડેમાં ૫૦૦ છગ્ગા ફટકાર્યા

aapnugujarat

भारत का विजय रथ रोक इंग्लैंड की उम्मीदें कायम

aapnugujarat

વેલિંગ્ટન ટેસ્ટ : ન્યુઝીલેન્ડનો ઇનિંગ્સ અને ૬૭ રને વિજય : વેસ્ટઇન્ડિઝ બીજા દાવમાં ૩૧૯ રનમાં આઉટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1