વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેંબર, મંગળવારે આસામના દિબ્રુગઢ જિલ્લાના બોગિબીલમાં માત્ર દેશના જ નહીં, પણ સમગ્ર એશિયા ખંડના સૌથી લાંબા રેલ-રોડ (ડબલ ડેકર – રેલવે-કમ-રોડ) બ્રિજ, બોગિબીલ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું. આ પૂલનું ભૂમિપૂજન ૧૯૯૭માં કરવામાં આવ્યું હતું અને તેનું બાંધકામ ૨૦૦૨માં શરૂ કરવામાં આવ્યું હતું. બોગિબીલ બ્રિજ બ્રહ્મપુત્રા નદી પર બાંધવામાં આવેલો ૪.૯૪ કિ.મી. લાંબો બ્રિજ છે. આ બ્રિજ પર નીચેના લેવલ પર ડબલ-ટ્રેક રેલવે રૂટ છે. જ્યારે ઉપરના લેવલ પર ૩-લેનનો રોડ છે. બ્રહ્મપુત્રા નદીની સપાટીથી આ પૂલ ૩૨ મીટર ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે.બોગિબીલ બ્રિજ આસામના દિબ્રુગઢ અને ધેમાજી જિલ્લાઓને જોડે છે. ધેમાજી જિલ્લો અરૂણાચલ પ્રદેશ રાજ્ય સાથે સરહદ પર બનાવે છે. આ બ્રિજનું આયુષ્ય ૧૨૦ વર્ષનું છે.આ બ્રિજની વિશેષતા એ છે કે આસામ અને અરૂણાચલ પ્રદેશ રાજ્યો વચ્ચેનું અંતર ૫૦૦ કિ.મી. જેટલું ઓછું કરી દેશે. આસામમાંથી અરૂણચાલ પ્રદેશ પહોંચવામાં હવે ૧૦ કલાક જેટલો સમય બચશે.આ બ્રિજ એ રીતે વિશેષ છે કે તેની પર લોઅર ડેક પર બે-લાઈનના રેલવે પાટાઓ છે જ્યારે અપર ડેક પર ત્રણ-લેનનો રોડ છે. આમ, એક જ બ્રિજ પર ટ્રેન અને વાહનો એક સાથે દોડે છે.આ બ્રિજને આજે રાષ્ટ્રને અર્પણ કરીને વડા પ્રધાન મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીનું સપનું સાકાર કર્યું છે. સંયોગવસાત્ આજે વાજપેયીની જન્મજયંતી છે. વાજપેયીએ ૨૦૦૨માં આ બ્રિજનું બાંધકામ શરૂ કરાવ્યું હતું.આ બ્રિજ સ્વીડન અને ડેન્માર્ક દેશોને જોડતા વિશાળ-વિરાટ પૂલની ડિઝાઈન પ્રમાણેનો છે.બોગિબીલ બ્રિજ બનાવવા માટે યુરોપીયન ટેક્નોલોજીકલ ધારાધોરણ અપનાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે વેલ્ડેડ બ્રિજ છે.આ બ્રિજ અંદાજે રૂ. ૫,૯૦૦ કરોડની કિંમતે બાંધવામાં આવ્યો છે.૧૯૯૭ની ૨૨ જાન્યુઆરીએ તે વખતના વડા પ્રધાન એચ.ડી. દેવગોવડાએ પૂલનો શિલાન્યાસ કર્યો હતો. પરંતુ તેની પરનું બાંધકામ છેક ૨૦૦૨ની ૨૧ એપ્રિલે વાજપેયીની સરકારે શરૂ કરાવ્યું હતું.બોગીબીલ પુલ પરિયોજનાને વર્ષ ૧૯૮૫માં થયેલી આસામ સમજૂતીની શરતનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.સૌપ્રથમ બોગીબીલ પર પુલ બનાવવાની માગ વર્ષ ૧૯૬૫માં ઊઠી હતી.વર્ષ ૧૯૬૨માં ’ચીનના આક્રમણ’ બાદ ડિબ્રુગઢ નજીક આવેલા બ્રહ્મપુત્રના આ ભાગ પર પુલ બનાવવાની માગ ઊઠી હતી.ડિબ્રુગઢ સ્થિત ઇસ્ટર્ન આસામ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ ભુદેવ ફુકને બીબીસીને કહ્યું, ચીનના આક્રમણ બાદ ચીનની સેના આસામના તેજપુર સુધી આવી ગઈ હતી.ચીનની સેનાએ સરકારી કાર્યાલય સહિત સ્ટેટ બૅન્કની શાખાઓમાં આગ લગાવી દીધી હતી. તે સમયે તત્કાલીન જિલ્લા પ્રશાસન બ્રહ્મપુત્રની આ તરફ આવી ગયું હતું.વર્ષ ૧૯૬૫માં જ્યારે તે સમયના કેન્દ્રીય મંત્રી જગજીવન રામ ડિબ્રુગઢની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અહીં પુલ બનાવવાની માગ ઊઠી હતી અને લેખિતમાં નિવેદન આપ્યું હતું.જોકે, બોગીબીલ પુલના નિર્માણ સાથે જોડાયેલી પરિયોજના ૧૯૯૭-૯૮માં સ્વીકૃત થઈ હતી.આ પરિયોજનાની આધારશિલા તત્કાલીન વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાએ ૨૨ જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ રાખી હતી.ત્યારબાદ આ પરિયોજના પર ૨૧ એપ્રિલ, ૨૦૦૨ના રોજ અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન કામ શરૂ હતું.ડિબ્રુગઢ શહેરથી માત્ર ૧૭ કિમીના અંતર પર બોગીબીલ પુલ બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારાને અરુણાચલ પ્રદેશના સીમાડાના પ્રદેશ ધેમાજી જિલ્લાના સિલાપખથાર સાથે જોડશે.એક માહિતી પ્રમાણે, બોગીબીલ પુલનું આયુષ્ય ૧૨૦ વર્ષનું હશે.આ પુલ ભારતનો એક માત્ર વેલ્ડેડ પુલ છે, જેના નિર્માણમાં ભારતમાં પ્રથમ વખત યુરોપિયન વેલ્ડિંગ માપદંડોનું પાલન કરવામાં આવ્યું છે.આ પુલમાં ૧૨૫ મીટરના ૩૯ ગર્ડર્સ (લોખંડના પટ્ટા) અને ૩૩ મીટર સ્પૈનના બે ગર્ડર્સ છે.ગર્ડર્સમાં રેલવે ટ્રેક માટે સ્ટીલ ફ્લોર સિસ્ટમ અને રસ્તા માટે કૉંક્રીટનો ઉપયોગ કરાયો છે.ભારતીય રેલવેમાં આ પ્રકારનું બાંધકામ પ્રથમ વખત કરવામાં આવ્યું છે.આ બ્રિજ બાંધવા માટે સિમેન્ટની ૩૦ લાખ ગુણીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલી ગુણીઓની સિમેન્ટથી ઓલિમ્પિક સાઈઝના ૪૧ સ્વિમિંગ પૂલ બંધાય. તદુપરાંત આ બ્રિજ માટે ૭૭,૦૦૦ મેટ્રિક ટન લોખંડ (સ્ટીલ) વાપરવામાં આવ્યું છે.આ બ્રિજ બનવાથી આસામના દિબ્રુગઢ અને ધેમાજી જિલ્લાઓના રહેવાસીઓ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના આંજો, ચાંગલાંગ, લોહિત, લોઅર દિબાંગ વેલી, દિબાંગ વેલી અને તિરાપ જેવા જિલ્લાઓનાં રહેવાસીઓને પણ ઘણી મદદ મળશે.આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે આવવા-જવામાં લોકોને જે ૧૫-૨૦ કલાકનો સમય લાગતો હતો તે હવે માત્ર સાડા પાંચ કલાક જેટલો જ લાગશે. અગાઉ લોકોને અનેક ટ્રેનો બદલવી પડતી હતી, પણ હવે એમને ઘણી રાહત થશે.આ બ્રિજ બંધાવાથી ભારતીય સૈન્યને પણ ઘણી રાહત થશે. ચીન સાથેની સરહદ પર ફરજ બજાવતા દેશના સૈનિકો માટે સાધન, સામગ્રી તથા માલસામાન હવે ઝડપથી પહોંચાડી શકાશે.આ પૂલ બંધાવાથી લોકોને રોડ તેમજ રેલવે, એમ બંને માર્ગે ઘણી રાહત થશે, કારણ કે દિબ્રુગઢમાં મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને એરપોર્ટ આવેલા છે. આ પૂલ બંધાવાથી અરૂણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગરમાંથી લોકોને ઘણી રાહત થશે. અરૂણાચલ પ્રદેશના નાહરલગુનથી દિબ્રુગઢ હવે માત્ર ૧૫ કિ.મી. દૂર થઈ જશે.બ્રહ્મપુત્રા નદી પરનો આ પૂલ ૪૨ થાંભલાઓ પર ટકાવેલો છે. આ થાંભલાઓને નદીની અંદર ૬૨ મીટર ઊંડે સુધી મજબૂત રીતે બેસાડવામાં આવ્યા છે. આ પૂલ ૮ની તીવ્રતાના ભૂકંપને પણ ખમી શકવાની ક્ષમતા ધરાવે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ