બોલીવુડમાં હાલ સૌથી ચર્ચામાં રહેલી આશાસ્પદ અભિનેત્રી સારા અલીએ કહ્યું છે કે, તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ ઉત્તરાખંડમાં રજૂ નહીં થતાં તે આને લઇને નિરાશ છે. તેનું કહેવું છે કે, આ ફિલ્મમાં તે ખુબ શાનદાર રોલ કરી રહી હતી. તેની ખુબ મહેનત પણ રહેલી હતી. ઉત્તરાખંડમાં જુદા જુદા કારણોસર તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ શરૂ થઇ શકી નથી. સારા અલીએ કહ્યું છે કે, ફિલ્મના વિષયને તે ખુબ પસંદ કરે છે. ઉત્તરાખંડના હિલસ્ટેશનમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મની પટકથા એક હિન્દુ યુવતીની આસપાસની હતી જે મુસ્લિમ યુવકના પ્રેમમાં પડે છે. સામાજિક વિરોધાભાષના પરિણામ સ્વરુપે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે તેવી માંગ કરીને આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ફિલ્મ લવજેહાદને પ્રોત્સાહન આપી રહી છે તેવી જોરદાર માંગ ઉઠતા આ ફિલ્મની રજૂઆતને રોકવામાં આવી હતી. ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એ સંદર્ભમાં પત્ર લખ્યો હતો અને ફિલ્મને લઇને રહેલા વિવાદ અંગે વાત કરી હતી. સરકારે તેમને પોતાનીરીતે નિર્ણય લેવા માટે વહીવટીતંત્રને સૂચના આપી હતી. સારા અલીની હવે બીજી ફિલ્મ સિમ્બા રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૨૬મીએ રજૂ થનાર છે જેમાં રણવીરસિંહની મુખ્ય ભૂમિકા છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મને લઇને સારા અલી હાલ જોરદાર પ્રમોશનમાં લાગેલી છે અને રણવીર સાથે પ્રચાર કરી રહી છે. એક્શનથી ભરપુર આ ફિલ્મને લઇને ચાહકો પહેલાથી જ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ગીતો પણ સુપરહિટ સાબિત થઇ રહ્યા છે તે જોતા ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવશે તેમ માનવામાં આવે છે.
આગળની પોસ્ટ