Aapnu Gujarat
ગુજરાત

દેશની છબી ખરડવા બદલ કોંગ્રેસ લોકોની માફી માંગે : ગજેન્દ્રસિંહ શેખાવત

ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એનેક્ષી શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સત્તાના સુકાન સંભાળતા દેશમાં નવા યુગ પરિવર્તનની શરૂઆત થઇ હતી. વિશ્વના દેશોએ સ્વીકાર કરવું પડ્‌યું છે કે, આવનારા સમયમાં ભારત એક વિશ્વ સત્તા તરીકે ઉભરશે અને સમગ્ર વિશ્વએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની કાર્યપ્રણાલીને સ્વીકારી છે અને આજે ભારતદેશ સમગ્ર વિશ્વના જુદા જુદા માપદંડો જેવા કે “ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ” પર્યાવરણના માપદંડો કે ભ્રષ્ટાચાર પર લગામના માપદંડો હોય તેમાં ઉંચી છલાંગ લગાવીને ભારત ખુબ આગળ વધી રહ્યું છે. શેખાવતે વધુમાં જણાવ્યું કે આજે દેશના દરેક નાગરિકના મનમાં દેશ પ્રત્યે એક ગર્વનું વાતાવરણ સર્જાયું છે. સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દેશના તમામ વર્ગોનું ઉત્થાન થાય તેવી કાર્યપદ્ધતિ સાથે આઝાદી પછી પ્રથમ વખત સૌથી ઈમાનદાર સરકારના દાખલાઓ ભાજપાએ વિશ્વ સમક્ષ પુરા પડ્‌યા છે. સાડા ચાર વર્ષમાં વિપક્ષ એકપણ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી શકી નથી. અને અત્યારે જુઠ્ઠાણા ફેલાવી અપપ્રચાર કરી ઈમાનદાર સરકાર પર દાગ લગાડવાના નિષ્ફળ પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. તે દેશની જનતા સારી રીતે જાણી ચુકી છે. શેખાવતે રફાલ મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું કે કોંગ્રેસે તથ્યો વગર જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે તે બદલ તેમણે દેશની, પ્રજાની તેમજ દેશની સુરક્ષામાં કાર્યરત વીર જવાનોની જાહેરમાં માફી મંગાવી જોઈએ. જુઠ્ઠાણાના આધારે રાજકીય લાભો મેળવવા પ્રયાસ કરતી કોંગ્રેસના મોં પર સુપ્રીમ કોર્ટનો ચુકાદોએ લપડાક સમાન છે. અને તેનાથી સાબિત થાય છે કે જુઠ્ઠાણાના પગ નથી હોતા અને સત્ય થોડાક સમય માટે પરેશાન જરૂર થાય છે પણ તે કચડી નથી શકાતું. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે બદનામ કરવાનું ષડયંત્ર કોંગ્રેસે રચ્યું છે. તેવી કોંગ્રેસને દેશની પ્રજા ક્યારેય માફ નહિ કરે અને આવનારી ચુંટણીમાં સત્તાના સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપીને દેશની જનતા કોંગ્રેસને તેનું ઉચિત સ્થાન બતાવી દેશે. શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ત્રણ વિષય મુદ્દે ચાર યાચીકાઓ કરવામાં આવી હતી. તે બધા જ વિષયો પર સુપ્રીમ કોર્ટે ભારત સરકારને ક્લીન ચીટ આપી છે. માત્રને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા દુર્ભાવના પૂર્વક અપપ્રચારના ભાગ રૂપે કોંગ્રેસ રફાલ બાબતે જુઠ્ઠાણા ફેલાવી રહી છે તે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પ્રજા સમક્ષ સત્ય ઉજાગર થઇ ગયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જુઠ્ઠાણાના નિર્માતા છે અને તેમણે જાતેજ સમગ્ર દેશમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી છે અને હવે જયારે સુપ્રીમ કોર્ટે તેમના જુઠ્ઠાણાને બેનકાબ કર્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની તમામ રાજકીય જવાબદારીઓમાંથી રાજીનામું આપી દેવું જોઈએ માત્ર ને માત્ર પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા દેશની સુરક્ષાની બાબતે કોઈ પણ લાંછન ન લગાડી દેશના વીર જવાનોના મનોબળ સાથે ખિલવાડ ન કરવો જોઈએ તેવી અપેક્ષા શેખાવત એ કોંગ્રેસ પાર્ટી તરફથી રાખી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કટાવધામે વૃક્ષોનું વાવેતર કરાયું

editor

અમદાવાદ એરપોર્ટના રનવે પર નીલગાય, કલાક ટ્રાફિક ખોરવાયો

aapnugujarat

ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ૩૫ હજારની થશે ભરતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1