મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમની સરકાર જતી રહ્યા બાદ બે વખત પોતાની ટ્વીટર પ્રોફાઈલ બદલી કાઢી છે. હવે ટ્વીટર પ્રોફાઈલ બદલીને શિવરાજસિંહે પોતાને મધ્યપ્રદેશના કોમનમેન તરીકે ગણાવીને લોકોની ભારે પ્રશંસા મેળવી છે. આ પહેલા રાજીનામું આપી દીધા બાદ શિવરાજસિંહે પોતાના ટ્વીટર પ્રોફાઈલ ઉપર પૂર્વ મુખ્યમંત્રી લખ્યું હતું પરંતુ કલાકોના ગાળા બાદ જ શિવરાજસિંહે આને દુર કરીને હવે દ કોમનમેન ઓફ મધ્યપ્રદેશ લખી દીધું છે. એક પૂર્વ મુખ્યમંત્રી દ્વારા પોતાને કોમનમેન તરીકે ગણાવવાની તેમની નીતિની ભારે પ્રશંસા થઈ રહી છે. સ્ક્રીનશોટને લઈને તેમની પ્રશંસા થઈ રહી છે. શિવરાજસિંહ ચૌહાણ છેલ્લા ૧૩ વર્ષથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે હતા. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપની કારમી હાર થઈ હતી. આની સાથે જ તેમના શાસનનો અંત આવ્યો છે. ચુંટણીમાં ભાજપની હારનો સામનો કરવો પડ્યા બાદ મધ્યપ્રદેશમાં હવે કોંગ્રેસની સરકાર આવી ગઈ છે. ૧૭મી ડિસેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ સત્તારૂઢ થનાર છે. આવી સ્થિતિમાં શિવરાજસિંહ ચૌહાણ હવે કોમનમેન તરીકે રહ્યા છે. શિવરાજસિંહે પોતાના શ્યામલા આવાસને ખાલી કરવાની પણ શરૂઆત કરી દીધી છે. શિવરાજસિંહ હવે ભોપાલના લીંક રોડ સ્થિત બંગલા નંબર ૭૪માં રહેશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ