Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંતકી હુમલા કરતાં વધુ મોત રસ્તા પરના ખાડાને કારણે થાય છે : સુપ્રિમ

એટલે કે દરરોજ ૧૦ લોકોના મોત સડક પરના ખાડાને કારણે થયા છે. આમ તો સામાન્ય દિવસોમાં લોકોને આ ખાડા દેખાઈ જાય છે અને તેઓ આનાથી બચીને નીકલી જાય છે. પરંતુ વરસાદના દિવસોમાં આનાથી બચી શકવું મુશ્કેલ બની જાય છે. સડકો પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી આવા ખાડામાં પાણી ભરાય છે અને તેને કારણે સડક પરના ખાડા ઘણીવાર દેખાતા નથી. જેને કારણે ૨૦૧૬ કરતા ૨૦૧૭માં આમા ૫૦ ટકાનો વધારો થયો છે.
જો દેશભરમાં આ ખાડાને કારણે જીવ ગુમાવનારાઓની સરખામણી આતંકવાદી ઘટનાઓ સાથે કરીએ તો આતંકવાદી ઘટનાઓમાં કુલ ૮૦૩ લોકોના મોત નીપજ્યા છે. જેમાં આતંકવાદી, સુરક્ષાકર્મીઓ અને આમ આદમીનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૭માં ૭૨૬ લોકોના ખાડામાં પડવાને કારણે જીવ ગયા હતા. સડકની ખરાબ હાલત પ્રત્યે આંખ આડા કાન દરરોજ ખરાબ સંકેત આપે છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં આના સંદર્ભેના આંકડા બેવડાઈ ગયા હતા. આ ઘટનાઓની પાછળ એક નહીં પણ ઘણાં કારણો છે.
લોકો દ્વારા વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને વગર હેલ્મેટે વાહન ચલાવવાને કારણે પણ આવી ઘટનાઓ બને છે. પરંતુ આવા મોતની પાછળ સૌથી મોટું કારણ નગરનિગમ અને સડકની માલિકી એજન્સીઓમાં ભ્રષ્ટાચાર પણ છે. મહત્વપૂર્ણ છે કે આ આંકડા તમામ રાજ્યોએ કેન્દ્ર સરકાર સાથે શેયર કર્યો છે. આ મામલામાં ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાન પર છે.
ઘણાં રિપોટ્‌ર્સમાં તો એવું પણ સામે આવ્યું છે કે સડક દુર્ઘટનાઓમાં થનારા મોતનું સૌથી મોટું કારણ સડકની ખોટી ડિઝાઈન, ખરાબ રખરખાવ અને સડકથી સંબંધિત સમસ્યાઓની અણદેખી કરવી પણ સામેલ છે. સડક પરિવહન મંત્રાલયના એક અધિકારીએ કહ્યુ છે કે મોટર વ્હિકલ્સ સંશોધન બિલમાં આવા પ્રકારની જોગવાઈઓને સામેલ કરાઈ રહી છે. આ બિલ સંસદમાં લાંબા સમયથી અટવાયેલું છે.

Related posts

કાવેરી વિરોધ વચ્ચે આઈપીએલ મેચો ચેન્નાઈમાંથી ખસેડવા નિર્ણય

aapnugujarat

महाराष्ट्र पर ‘सर्वोच्च’ आदेश मंगलवार को…!

aapnugujarat

सपा ने आजमगढ़ को बनाया आतंक का गढ़ : सीएम योगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1