પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આતંકી દેશ પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈક-૨ થકી જડબાતોડ જવાબ આપવા બદલ મોદી સરકાર અને ભારતીય સેનાને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા છે. ભારતીય સૈનિકોના માથા કાપનાર આતંકી દેશ પાકિસ્તાનને છોડવામાં આવશે નહી તેવી જે તે સમયે ભારતીય સેના અને કેન્દ્ર સરકારે ચિમકી આપી હતી. ત્યારે કેટલાક દેશ વિરોધીઓને આ ધમકી પોકળ લાગતી હતી પરંતુ ભારતીય સેનાએ આજરોજ એક વીડીયો જારી કરીને ભારતીય સેનાના બુલંદ ઈરાદા છતા કર્યા હતા. વાઘાણીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આતંકી દેશ પાકિસ્તાન પર ભારતીય સેનાએ અત્યંત ગુપ્ત રીતે સર્જીકલ સ્ટ્રાઈક કરી જડબાતોડ જવાબ આપ્યો છે. ગત તા. ૯મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નૌસેરા સેક્ટરમાં આવેલી ચોકીઓ તથા બંકરો પર તોપગોળા દ્વારા ૨૪ સેકન્ડમાં ૧૨ હુમલા કરી પાકિસ્તાની સૈનિકો તથા દારૂગોળાનો ખાત્મો બોલાવ્યો હતો.
અગાઉ કોંગ્રેસના શાસનમાં ભારતીય સૈનિકો પર પાકિસ્તાન દ્વારા હુમલા કરાતા હતા અને ભારતીય સૈનિકો શહીદ થતા હતા. હુમલાની શરૂઆત પણ પાકિસ્તાન તરફથી જ થતી હતી અને તેનો અંત પણ પાકિસ્તાન તરફથી જ થતો હતો. પરંતુ જ્યારથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે શાસનધુરા સંભાળી છે ત્યારથી પાકિસ્તાનને તેની જ ભાષામાં વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. હાલમાં પણ પ્રથમ હુમલો પાકિસ્તાન તરફથી કરવામાં આવે છે પરંતુ તેનો અંત ભારતીય સેના દ્વારા જ કરવામાં આવે છે. અગાઉ પણ દ્વારા પાકિસ્તાનને તેની જ ભાષામાં ભારતીય સેનાએ આપેલા જવાબનો વીડીયો જારી કરીને પાકિસ્તાનને અને સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારા દેશ વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપ્યો છે તેમ જીતુભાઈ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું.
આગળની પોસ્ટ