Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માંગે છે : ખડગે

કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરો પ્રહાર કર્યો. ખડગેએ પીએમ મોદીની તુલના હિટલર સાથે કરીન નાખી. એમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સાથે પણ એવું જ કરવા માગે છે જેવું તાનાશાહ એડોલ્ફ હિટલરે જર્મનીની સાથે કર્યું હતું. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંવિધાનને નષ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી મલ્લિકાર્જુન ખડગેએ મુંબઈમાં કોંગ્રેસ તરફથી સંવિધાન બચાઓ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, આ દેશમાં તાનાશાહી લાવવાની કોશિશ થઈ હી છે. જેમ એડોલ્ફ હિટલરે જર્મનીમાં કર્યું તેવું જ પીએમ નરેન્દ્ર મોદી પણ આજે હિંદુસ્તાનમાં કરવા માગે છે.
ખડગેએ કહ્યુ્‌ં કે ભાજપના શાસનમાં દેશી સ્થિતિ બગડી રહી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી આરએસએસ, ભાજપ અને મોદીને એમની તરફથી સંવિધાનને ખતમ નહિ કરવા દે જેવી રીતે અન્ય સંસ્થાઓને નષ્ટ કરવામાં આવી રહી છે. એમણે કહ્યું કે, સંવિધાનનો સંબંધ કોઈ ખાસ જાતિ, ધર્મ કે સમુદાય સાથે નથી, બલકે સમાન રૂપે દરેક ભારતીય સાથે છે.
ભાજપ પર હુમલો બોલતા ખડગેએ કહ્યું કે ભાજપે પાછલા ચાર વર્ષોમાં એકપણ સારું કામ કર્યું નથી, એમની પાસે કોંગ્રેસ પર આંગળી ઉઠાવવા અને અમને એમ પૂછવાનો કોઈ અધિકાર નથી કે અમે છેલ્લા ૭૦ વર્ષમાં શું કર્યું. વધુમાં કહ્યું કે જ્યારી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરી દીધી છે અને પ્રેસ પર સતત અંકુશ લગાવી રહી છે.

Related posts

નકવીનો ટોણો : ચાર દિવસ કામ કરીને રાહુલ ચાર મહિના તો પિકનિક પર રહે છે

aapnugujarat

निर्भया केस : राष्ट्रपति ने खारिज की मुकेश की दया याचिका

aapnugujarat

હિંદ મહાસાગરમાં ચીનનાં યુદ્ધ જહાજો-સબમરીન તહેનાત થતાં ભારતમાં ચિંતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1