તા-૧૦-૦૯-૨૦૧૮ને સોમવારના રોજ સ્વર્ણિમ સંકુલ,નર્મદાહોલ,સચિવાલય,ગાંધીનગર મુકામે વિરમાયા સ્મારક સંકુલના વિકાસ માટે રૂ.ત્રણ કરોડ ની ફાળવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાતાં તેમનું સન્માન વીરમાયા સ્મારક સમિતિ તેમજ દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.આ ઉપરાંત પૂર્વ મંત્રી રમણલાલ વોરા, પૂર્વ સાંસદ .રતિલાલ વર્મા,વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, અમદાવાદ ના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા ,ધારાસભ્ય પ્રદીપ પરમાર, એસ.સી.નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકી ચેરમેન ઝવેરભાઈ ચાવડા,મહામંત્રી ડી.પી.પરમાર સહિત સ્મારક સમિતિના હોદ્દેદારો,કાર્યકરો તેમજ દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની આભારવિધિ મહામંત્રી ધીરજભાઈ સોલંકીએ કરી હતી.