તા. ૯/૯/૧૮ ને રવિવારનાં રોજ ધાનેરા તાલુકાના થાવર મુકામે હનુમાન આશ્રમમાં મહંત પ્રયાગગિરિનાં પ્રમુખ સ્થાને અને ડૉ. નરસિંહદાસ વણકરનાં મુખ્ય મહેમાન પદે વણકર સમાજની વિશાળ સંમેલન સભા યોજાઈ. પાંચ ગોળ થરાદ ધાનેરા, દિયોદર વઢિયાર ચાણસ્મા ડીસા તાલુકાના વડીલો યુવકો મોટી સંખ્યામાં પ્રથમવાર ઉમટી પડ્યા હતાં. ડો. નરસિંહદાસ વણકરે અભિનંદન પાઠવતા વણકર સમાજની એકતા ઉપર ભાર મૂકી શિક્ષણનો વ્યાપ વધારવા તેજસ્વી તારલાઓને બિરદવવા સમાજવાડી બનાવવા સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવેલ તથા પાંચ ગોળ મારવાડી વણકર સમાજની પ્રગતિ માટે રૂપિયા એક હજારનું દાન આપેલ.મહંત પ્રયાગગિરિ બાપુએ વણકર સમાજની પગતિ માટે રુપિયા ૨૧૦૦નું દાન આપી સાથ સહકાર આપવા ખાતરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા. સવારથી સાંજ સુધી બે સેશનમાં સમાજનાં આગેવાનોએ ખુલ્લા મને વિચારોની ચર્ચાઓ કરી હતી. હવે પછીની મીટીંગ થરાદ મુકામે રાખવા નિર્ણય લેવાયો હતો.
ડો બાબાસાહેબ આંબેડકર સાહેબને ફૂલહાર દીપ પાગટય કરી મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.