Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળ પુર : ૧૨ દિવસમાં ૨૧૮નાં મોત

કેરળમાં ભારે વરસાદ અને ત્યારબાદ છેલ્લા ૧૦૦ વર્ષના સૌથી વિનાશકારી પુરના કારણે હજુ હાલત કફોડી બનેલી છે. રાજ્યભરમાં પુરના પાણી હવે ઉતરી રહ્યા છે અને વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જો કે સ્થિતી હજુ પણ ખુબ વિકટ બનેલી છે. કેરળમાં આઠમી ઓગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનો આંકડો ૨૧૮ ઉપર પહોંચી ગયો છે. માત્ર ૧૨ દિવસના ગાળામાં જ ૨૧૮ લોકોના મોત સાબિત કરે છે કે વિનાશક પુરની સ્થિતી શુ છે. હજુ મોટી સંખ્યામાં લોકો લાપત્તા પણ થયેલા છે. ૨૯૭૧ રાહત કેમ્પમાં ૬૩૩૦૧૦ લોકોને રાખવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો માટે તમામ વ્યવસ્થા કરવાની બાબત પણ મુશ્કેલીરૂપ છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. ૧૦ હજાર કિલોમીટરના રસ્તા તુટી ગયા છે. કેરળ સામે હવે પુનવસવાટ અને રાજ્યના ફેરનિર્માણની બાબત પડકારરૂપ બની ગઇ છે. મુખ્ય રસ્તાના નિર્માણ પર ૪૪૪૧ કરોડનો ખર્ચ થનાર છે. સ્થિતીમાં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે. ૯મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત રેડએલર્ટને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે. અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૩૮૭ સુધી પહોંચી ગયો છે. ઇર્નાકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સૌથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સૌથી વધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા ૭૨૪૬૪૯ છે જે ૫૬૪૫ રાહત કેમ્પમાં છે. ૯મી ઓગસ્ટ બાદથી મોતનો આંકડો ૨૧૦ સુધી પહોંચી ગયો છે. પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે. છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહી છે.મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. અહીં પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. આ નદીઓના કારણે જળપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ૮મી ઓગસ્ટથી હાલત કફોડી બનેલી છે. આઠ હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી ૧૪ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. ૧૯૨૪બાદથી હજુ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. નુકસાનનો આંકડો તો અભૂતપૂર્વ છે. કોચિ મેટ્રો બંધ રાખવામાં આવી છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે . નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. ઇડુક્કી અને ઇદમલયાર જળાશયોમાં પાણીની સપાટી હજુ ઘટી રહી નથી. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. પુરના કારણે કેરળના મોટા ભાગના વિસ્તારોમાં પરિવહન સેવા ઠપ છે. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે. પેરિયાર નદીમાં પુરનુ પાણી વધી જવાના કારણે તમામ મોટા બંધમાં દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કોચિ શહેરમાં તમામ સેવા ઠપ થઇ ગઇ છે. .કેરળમાં હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. ૮૦ બંધને ખોલી દેવામાં આવ્યા છે. મે મહિના બાદથી હજુ સુધી ૩૮૭ લોકોના મોત થઇ ગયા છે. કુલ આઠ હજાર કરોડનુ નુકસાન થયુ છે.
છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહે છે. મોતનો આંકડો ઝડપથી વધીને માત્ર ૧૨ દિવસના ગાળામાં જ ૨૧૮ સુધી પહોંચી ગયો છે. .
અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળમાં પુરના પાણી હવે ઉતરી રહ્યા છે. બચાવ અને રાહત કામગીરી વધુને વધુ તીવ્ર બનાવવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં મૃતદેહ પુરગ્રસ્ત વિસ્તારોમાં હાથ લાગી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો લાપત્તા થયેલા છે. વિનાશકારી પુરની ભયાનક તસ્વીર હવે ઉભરી રહી છે. સતત મોતનો આંકડો વધી રહ્યો છે. ૮મી ઓગસ્ટ બાદથી આંકડો વધીને ૨૧૮ સુધી પહોંચી ચુક્યો છે. રોગચાળાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. લેપ્ટોસ્પાઇરોસીસના કેસમાં જોરદાર વધારો થઇ શકે છે. ઇન્ફેક્શનના કેસો પણ વધી શકે છે. ઘણા વિસ્તારમાં હજુપણ ૧૦થી ૧૫ ફુટ પાણી ભરાયેલા છે. જુદા જુદા વિસ્તારોમાં બચાવ કામગીરી સતત ચાલી રહી છે. સૌથી અસરગ્રસ્ત અને ખરાબરીતે અસર પામેલામાં થ્રિસુર અને ચેંગન્નુરનો સમાવેશ થાય છે. કેરળમાં અભૂતપૂર્વ સ્થિતિ ઉભી થઇ છે. રોગચાળાને રોકવા માટેનો પણ મોટો પડકાર ઉભો થયો છે. કેરળમાં હજારોની સંખ્યામાં રાહત કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. સાથે સાથે મેડિકલ કેમ્પમાં દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુંબઈથી રાહત સામગ્રી સાથે ટુકડીઓ પહોંચી રહી છે. ૮૦૦ ટન પીવાનુ પાણી અને ૧૮ ટન દવાઓ સહિતની સામગ્રી પહોંચી ચુકી છે. રાહત કેમ્પોમાં સંખ્યા ખુબ મોટી હોવાથી તેમને રોગચાળાથી બચાવવા માટે પણ મોટી સમસ્યા ઉભી થયેલી છે. નુકસાનનો આંકડો પ્રાથમિકરીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. બેક્ટેરિયા સાથે સંબંધિત રોગ માનવી અને પ્રાણીઓ બંનેમાં ફેલાઈ શકે છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે, પુરગ્રસ્ત વિસ્તારોમાંથી કાટમાળને દૂર કરવા અને આરોગ્યની ખાતરી કરવાની બાબત ખુબ જ ચિંતાજનક બનેલી છે.

Related posts

રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા પ્રકાશ રાજ

aapnugujarat

વિપક્ષી પાર્ટીઓ કરતા દેહવ્યાપાર કરનાર લલનાઓ સારી : સાક્ષી મહારાજ

aapnugujarat

બજેટ સત્રમાં બોફોર્સ રિપોર્ટ રજૂ થાય તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1