ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું ૭૭ વર્ષની વયે ગઈકાલ રાત્રે મુંબઈની જસલોક હોસ્પિટલમાં નિધન થયું હતું. વિદેશી ધરતી પર પ્રથમવાર શ્રેણી જીતનારા અજીત વાડેકર પહેલાં કેપ્ટન હતાં. અજીત વાડેકર તેમની ૮ વર્ષની કારકિર્દીમાં ૩૭ ટેસ્ટ રમ્યાં હતાં જેમાં ૧ સદી અને ૧૪ અડધી સદી ફટકારી હતી અને કુલ ૨૧૧૩ રન નોંધાવ્યાં હતાં. વર્ષ ૧૯૬૭માં સરકારે તેમને અર્જુન એવોર્ડ અને ૧૯૭૨માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતાં.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ