શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ શ્રી સોમનાથ મંદિર ખાતેના સંકિર્તન હોલમાં રાત્રીના 07:30 વાગ્યા થી 11:00 વાગ્યા સુધી રાજકોટના મ્યુઝીક ગ્રુપના અલ્પાભારથી ગૌસ્વામી,મંગલ રાઠોડ,મોન્ટી મહારાજ દ્વારા શિવ વંદના પણ કરવામાં આવેલ.ત્યારબાદ10:00કલાકે જ્યોતપૂજન કરવામાં આવેલ.જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી દર્શનાર્થીઓ પણ જોડાયા.રાત્રે 11:00કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ.
રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ