Aapnu Gujarat
ગુજરાત

સમરસતા મંચ ગાંધીનગર વિભાગ દ્વારા સામુહિક કન્યાપૂજનનો કાર્યક્રમ

૩૦ જુલાઈ ૨૦૧૮, સોમવારના રોજ સમરસતા મંચ-ગાંધીનગર વિભાગ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગૌરીવ્રતના ઉપલક્ષમાં છત્રાલના પ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સામુહિક કન્યાપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દરેક જાતિ-સમુદાયની ૫૩૯ કન્યાઓ અને એમાંય ખાસ કરીને અનુસૂચિત જાતિની કન્યાઓ અને એમના પરિવારજનો ખૂબ ઉત્સાહથી સહભાગી બન્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન દરેક કન્યાઓના પગ ધોઈને, એમનું કૂકકુમ ચાંલ્લાથી વિધિવત પૂજન કરવામાં આવ્યું હતુ તથા દરેક કન્યાઓને શૃંગાર-પેટી ભેટમાં આપવામાં આવી હતી. પૂજન બાદ, પૂજન માટે પધારેલ દરેક આમંત્રિત મહેમાનો અને અન્ય સૌએ સમરસતા ભોજનનો એકસાથે આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમના સંયોજક શ્રીમાન અશોકભાઈ પટેલની છત્રાલની ટીમે ખૂબ સુંદર વ્યવસ્થા કરેલ હતી. કાર્યક્રમમાં સમરસતા ગતિવિધિના શ્રીમાન ડૉ. હેમાંગભાઈ પુરોહિત, શ્રીમાન ભાઈલાલભાઈ સુથાર, સામાજિક સમરસતા અભિયાન (વી.એચ.પી.) ના પ્રાંતમંત્રી રશેષભાઈ રાવલ વિશેષમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિર અને ત્યાંના સભાગૃહમાં દરેક જાતિ-સમુદાયના લગ્ન અને અન્ય પ્રસંગો પણ યોજવામાં આવે છે.

તસવીર અમીત હલવાડીયા

Related posts

राज्यसभा चुनाव के परिणामों को चुनौती देने भाजपा उम्मीदवार बलवंतसिंह की गुजरात हाईकोर्ट में पीटिशन

aapnugujarat

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષ તૂટી જશેઃ નીતિન પટેલ

aapnugujarat

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં અકસ્માત : બેનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1