Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓનાં પગાર વધારવા સરકાર રાજી

૭માં વેતન આયોગમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી દિવાળીની આસપાસ એટલે કે ૨૦૧૮માં આવવાની સંભાવનાં છે. જો કે પહેલા ખબર હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ઑગષ્ટનાં રોજ આનું એલાન કરી શકે છે, પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સરકારી કર્મચારીઓ અને નેશનલ એનોમેલી કમિટી વચ્ચે ગત દિવસોમાં થયેલી બેઠકમાં એ નક્કી થયું કે સરકારી કર્મચારીઓને ૭માં વેતન આયોગથી ઇતર લાભ તબ્બક્કાવારથી આપવામાં આવશે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો થયા.
સૌથી મોટો નિર્ણય એ થયો કે કર્મચારીઓનાં પે મેટ્રિક્સમાં રેહલી અસંગતતાને દૂર કરવામાં આવે. કેન્દ્ર સરકારની યોજના સરકારી કર્મચારીઓની સેલરી ૭માં વેતન આયોગથી વધારવાની છે. ૨.૫૭ ગણા ફિટમેન્ટ ફેક્ટરથી વધારેનાં આધારે સેલરીમાં વધારો કરવામાં આવી શકે છે. આ માટે નાણાકીય સલાહકારોનાં મંતવ્યો લેવામાં આવી રહ્યા છે.
આ જાહેરાત મે ૨૦૧૯માં થનારી ચૂંટણી પહેલા કરવામાં આવશે. આ દ્વારા સરકારનાં પ્રયત્નો સરકારી કર્મચારીઓને ખુશ કરવાનાં રહેશે, જેનો લાભ બીજેપીને ચૂંટણીમાં મળી શકે છે.

Related posts

Maharashtra govt likely to clear the land title bill in June’s assembly session

aapnugujarat

असम बाढ़ से प्रभावित, ३१ हजार ने राहत शिविरों में ली शरण

aapnugujarat

मोदी सरकार 2.0 के 100 दिन में बेहाल हुई इकोनॉमी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1