આજરોજ નિવૃત્ત આઈએએસ અધિકારી, ગુજરાત વણકર સેવા સમાજનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા કોંગ્રેસનાં મહામંત્રી શ્રી પી.કે.વાલેરાનું હૃદય હુમલાનાં કારણે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ પી.કે.વાલેરાનાં અવસાનથી તેમનાં પરિવારને ન પૂરાય તેવી ખોટ પડી છે તથા સમાજે એક બાહોશ, સક્રિય અને હંમેશાં લોકોની પડખે ઉભા રહેનાર આગેવાનની ખોટ પડી છે. સ્વર્ગસ્થની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, રાજકીય આગેવાનો જોડાયા હતાં જેમાં ખાસ કરીને માજી મંત્રી કરસનદાસ સોનેરી, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ રાજ્યસભાનાં સાંસદ રાજુ પરમાર, પૂર્વ ધારાસભ્ય મોહન વાઘેલા, દાણીલીમડાનાં ધારાસભ્ય શૈલેષ પરમાર, ઉદ્યોગપતિ મુકેશ કોલસાવાલા, દેવેન્દ્ર વર્મા, સામાજિક કાર્યકર શાંતિભાઈ પટેલ, સામાજિક કાર્યકર હરજીવનભાઈ પરમાર, ડાભી સાહેબ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સ્વર્ગસ્થ વાલેરાજીનાં પાર્થિવ દેહ ઉપર કોંગ્રેસ પક્ષનો ધ્વજ ઓઢાડીને સન્માનપૂર્વક દુઃખ વિદાય આપવામાં આવી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ